Last Updated on by Sampurna Samachar
હવે દીદીને હટાવવાનો સમય આવી ગયો છે
દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું હતું.
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલે જોર પકડ્યું છે. દાર્જિલિંગ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમબંગાળના કુલ્ટી વિધાનસભા વિસ્તારમાં જનસભા સંબોધી મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, એક સમયે કુલ્ટી દેશમાં લોખંડના ખનિજ ઉત્પાદનનું મોટું કેન્દ્ર હતું, પણ હાલની સરકારનીનીતિઓના કારણે આ વિસ્તાર હવે બંધ થવાની કગાર પર પહોંચી ગયો છે.

અમિત શાહે આરોપ લગાવ્યો કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની અવગણના થઈ છે, જેના કારણે અનેક પરંપરાગત ઉદ્યોગો પર સંકટ છવાઈગયું છે. તેમણે કહ્યું કે, જો યોગ્ય નીતિઓ અપનાવવામાં આવી હોત, તો પણ કુલ્ટી જેવા વિસ્તારોદેશની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી શક્યા હોત.
લોકોના જીવનમાંસંતોષ અને સ્થિરતા આવી શકે
દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદનઆપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવે રાજ્યમાં પરિવર્તનની માંગ વધી રહી છે અને જનતા પરિવર્તન તરફ વિચારકરી રહી છે. અમિત શાહે ગોરખા સમુદાયના મુદ્દાઓ પર પણ મોટો રાજકીય સંદેશ આપ્યો.
તેમણે કહ્યું કે, જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે, તો ગોરખા બહેનો અને ભાઈઓની વર્ષોથી ચાલી રહેલી સમસ્યાઓનેપ્રાથમિકતા આપીને ઉકેલવામાં આવશે. અમિત શાહે દાવો કર્યો કે, ભાજપ સરકાર બન્યા પછી છ મહિનાનીઅંદર ગોરખા સમુદાયની જૂની સમસ્યાઓના ઉકેલ માટે ઠોસ પગલાં લેવામાં આવશે, જેથી લોકોના જીવનમાં સંતોષ અને સ્થિરતા આવી શકે.
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ બંને પર ગોરખા સમુદાય અને દાર્જિલિંગ વિસ્તારનીઅવગણના કરવાનો આરોપ રહ્યો છે. શાહના જણાવ્યા અનુસાર, આ સમસ્યાઓનો ઉકેલ ભાજપ પોતાનીસરકાર બન્યા પછી નિર્ધારિત સમયમર્યાદામાં લાવવાનો પ્રયાસ કરશે. ઉત્તર બંગાળના લોકોને સંબોધતા તેમણેઅપીલ કરી કે, એક વખત ભાજપને મોકો આપો, જેથી વિકાસ અને સમાધાનની પ્રક્રિયા આગળ વધી શકે.
તેમણે કહ્યું કે, “ઉત્તર બંગાળના લોકો, એક વાર ભાજપ સરકાર બનાવી દો. ત્રણ ચૂંટણીથી દાર્જિલિંગ તો કમળપર મત આપી રહ્યું છે, પણ આ વખતે આખું બંગાળ નક્કી કરી ચૂક્યું છે કે દીદીને હટાવવાનો સમય આવીગયો છે.”
અમિત શાહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકાર પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, રાજ્યમાં બજેટ ફાળવણીમાં ભેદભાવ કરવામાં આવે છે. અમિત શાહે જણાવ્યું કે, તૃણમૂલ સરકારે ઉત્તરબંગાળ, આદિવાસી અને પર્વતીય વિસ્તારો માટે લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે, જ્યારેમદરસા અને અલ્પસંખ્યક વિસ્તારો માટે ૫૮૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. તેમણે આને અન્યાયપૂર્ણગણાવ્યું અને કહ્યું કે, હવે ઉત્તર બંગાળ અને ગોરખા સમુદાય સાથે ન્યાયની શરૂઆત થશે.
શાહે આરોપ મૂક્યો કે, મમતા બેનર્જીના શાસનમાં અનેક મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને સંદેશખાલી કેસનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, આવી ઘટનાઓએ આખા બંગાળને શરમાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, બંગાળમાં ગુનો કરનાર દરેકને કાયદાના દાયરામાં લાવવામાં આવશે અને ભાજપસરકાર બન્યા પછી આવા કેસોમાં કડક કાર્યવાહી થશે.