Last Updated on by Sampurna Samachar
સુરતના મૃતકના પુત્રએ આતંકી હુમલામાં આપવિતી વર્ણવી
આતંકવાદીઓ અમારાથી ફક્ત બે થી ત્રણ ફૂટના અંતરે હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ હુમલા બાદ વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, આતંકી હુમલામાં શિકાર બનેલા પરિવારના પુત્રએ સમગ્ર ઘટના અંગે આપવીતી વર્ણવી હતી , પહેલગામ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયાનુ મૃત્યુ થયુ હતું. જ્યાં તેમના પુત્રએ આપવીતિ વર્ણવતા સરકાર પર કટાક્ષ કર્યો અને સલાહ પણ આપી છે.
મૃતક શૈલેષ કળથિયાના પુત્રએ પહેલગામ આતંકી હુમલા અંગે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું કે, અમે પરિવાર સાથે પહલગામ પહોંચ્યા હતા, હું મમ્મી-પપ્પાએ મને ઘોડા પર બેસાડ્યો અને તેઓ ચાલતા આવતા હતા, જ્યારે અમે ઉપર પહોંચ્યા ત્યારે, અમારી નજીક કંઇક બનવા લાગ્યુ.
જે લોકોએ કલમા પઢી તેને જવા દીધા
બે શસ્ત્રધારી આતંકીઓ આવ્યા અને કહેવા લાગ્યા કે, હિન્દુઓ અને મુસલમાનો અલગ અલગ થઇ જાઓ. તે સમયે અમે ત્યાં ૨૦ થી ૩૦ લોકો હાજર હતા. આતંકવાદીઓએ હિન્દુ અને મુસ્લિમોને અલગ અલગ કર્યા અને કલમા પઢવાનું કહ્યું, જેઓએ કલમા પઢ્યા તેમને છોડી મુક્યા અને હિન્દુ પુરુષોને ગોળીએ વીંધી દીધા હતા.
આતંકીઓએ હિન્દુઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ, આતંકવાદીઓ અમારાથી ફક્ત બે થી ત્રણ ફૂટના અંતરે જ હતા, પછીથી આતંકીઓએ બૂમ પાડી બાળકો ભાગી જાઓ અહીંથી, અને ત્યાંથી ભાગવા લાગ્યા અને તરત જ આંતકીઓ ગાયબ થઇ ગયા.
રાજનાથ સિંહ વિવિધ પક્ષોના નેતાઓને પ્રવાસીઓને નિશાન બનાવતા આતંકવાદી હુમલા વિશે માહિતી આપી શકે છે, જેમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ કડક ર્નિણયો લેવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર હાજર હતા. બેઠક બાદ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં આ ર્નિણયો વિશે માહિતી આપી હતી. સૌથી મોટો ર્નિણય એ લેવામાં આવ્યો કે ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવામાં આવશે. આ પગલાને કારણે બંને દેશો વચ્ચે મર્યાદિત અવરજવર પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે.