Last Updated on by Sampurna Samachar
કોર્ટે ઓરેવા કંપનીના સત્તાધીશોને ઉધડા લીધા
કોઈને કંપની પર વિશ્વાસ નથી, કોર્ટને પણ નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી ઝુલતો પુલ ૧૩૫ વ્યક્તિનાં મોતના મામલે ૧૧૨ પીડિતોની પીટિશન કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે પુલ દુર્ઘટનામાં CBI તપાસની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકાર, કલેક્ટરને નોટિસ જાહેર કરી તપાસનો જવાબ માંગ્યો છે. ત્યારે પુલ દુર્ઘટનાને અઢી વર્ષ વીતવા છતાં હજુ ચાર્જ ફ્રેમ નહીં કરતા સુપ્રિમ લાલઘૂમ થઈ હતી. કેસમાં વધુ તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ પડી છે, ત્યારે સુપ્રિમે અરજી દાખલ કરી હતી.
મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જે કેસની ગુજરાત હાઇકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે કોર્ટે ઓરેવા કંપનીના સત્તાધીશોને ઉધડા લીધા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ઓરેવા કંપની પાસે ભોગ બનનારને વળતર કઈ રીતે આપશો તેની વિગતો માંગી હતી.
સાથો સાથ કોર્ટે કહ્યું હતુ કે, વાલી, માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા,લગ્નની જવાબદારી કંપનીની રહેશે. બાળકોએ જે ભણવું હોય તે ભણાવવું પડશે. એ ભણીને તમારા બધાના બોસ પણ બની શકે છે અને એ કંપની પણ ઉભી કરી શકે છે. મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા ૨ કરોડના ખર્ચે કર્યું હતું.
૧૨ થી ૧૫ વર્ષની મજબૂતાઈની ગેરંટી અપાઇ હતી
ભારતમાં CFL અને LED બલ્બમાં ૧ વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૨ થી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા ૧૨ થી ૧૫ વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે ૫ દિવસની અંદર તૂટ્યો અને ૧૩૫ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.
સરકારે વળતર અંગેના મુદ્દા પર પીડિતો સાથે વાતચીત કરવાની ખાતરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે મોરબી જિલ્લા કલેક્ટર, ટ્રસ્ટ, કંપની અને પીડિતો વચ્ચે વળતરને લઈને કાયદેસરનાં કાગળિયાં થવાં જોઈએ. કોર્ટે કહ્યું હતું કે કંપનીએ ટ્રસ્ટને ફાળવેલા ૧૫ લાખ રૂપિયા ઓછા છે. ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયા ફાળવવા જોઈએ. કંપની કહે કે પીડિતોને વળતરની જરૂર નથી અને તમે વળતર આપવાનું બંધ કરી દો એવું પણ બની શકે, કોઈને કંપની પર વિશ્વાસ નથી, કોર્ટને પણ નહીં!