Last Updated on by Sampurna Samachar
જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના
જામનગરના સીટી ‘સી’ ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ ની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૩) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં કોઈ તસ્કરોએ ધોળે દહાડે તાળું તોડીઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ ચોરી જવાના બનાવે ચકચાર મચાવી છે.

જામનગરના સીટી ‘સી’ ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ ની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૩) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી ક્રુણાલભાઈ વિનુભાઈ મેસીયા (ઉ.વ.૩૦), હાલ રહે. ખોડિયારકોલોની, અર્ચના એપાર્ટમેન્ટ, જામનગર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૧૮/૦૪/૨૦૨૬ના બપોરે ૩.૦૦ થીસાંજે ૭.૦૦ વાગ્યા વચ્ચે કોઈ અજાણ્યો ચોર મુખ્ય દરવાજાનું તાળું તોડી તેમના મકાનમાં પ્રવેશ્યો હતો.
ચોરે ઘરમાં રહેલા કબાટમાંથી પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલ અંદાજે રૂપિયા ૮૦,૦૦૦ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે, અને અજાણ્યા આરોપીસામે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.