Last Updated on by Sampurna Samachar
પ્લેનમાં સવાર ૧ વ્યક્તિના મોતની શંકા વ્યક્ત થઇ
ફાયર વિભાગની ટીમ અને પોલીસ કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યોં હતો. આપને જણાવી દઈએ ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે જેમાં પ્લેનમાં સવાર ૧ વ્યક્તિના મોતની શંકા સેવાઇ રહી છે.
અમરેલીના ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં એક ખાનગી કંપનીના પાયલોટ તાલીમ કેન્દ્રનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.વિમાન ક્રેશ થયા પછી, વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ કર્મચારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ દુર્ઘટના કેમ થઇ તેની તપાસ હાથ ધરાઇ
જે એક ખાનગી કંપની દ્વારા સંચાલિત હતું, અને તેનો ઉપયોગ પાયલોટ તાલીમ માટે થતો હતો. આ અકસ્માતમાં વિમાનમાં ફક્ત એક જ વ્યક્તિ હતો, જેનું કમનસીબે મૃત્યુ થયું હતું.વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં ચિંતા વધી રહી છે અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનું વચન આપ્યું છે.