Last Updated on by Sampurna Samachar
ગુમ થયા બાદ કચેરીમાં લટકતી હાલતમાં જોવા મળ્યો મૃતદેહ
દાંતીવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠામાં પંચાયત કચેરીમાં જ ઓપરેટરે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જયેશ ઠાકર નામનો ઓપરેટર ગુમ હતો. તેનો તાલુકા પંચાયતની કચેરીમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મોબાઈલ લોકેશનના આધારે તેની ભાળ મળી હતી. જયેશ કરાર આધારિત ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. દાંતિવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાંતિવાડા તાલુકા પંચાયત કચેરીમાં ઓપરેટર જયેશ ઠાકરનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ગુમ થયેલા જયેશ ઠાકરની ભાળ તેના મોબાઈલ લોકેશનના આધારે મળી હતી. જયેશ કરાર આધારિત ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. દાંતિવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આપઘાત મુદ્દે અનેક તર્કવિતર્કો સર્જાયા
જયેશ ઠાકરની તાલુકા પંચાયત કચેરીમાં લટકતી હાલતમાં મળેલા મૃતદેહને દાંતીવાડા પોલીસે પીએમ અર્થે દાંતીવાડા રેફરલમાં મોકલ્યો હતો. જયેશ ઠાકરના આપઘાત મુદ્દે અનેક તર્કવિતર્કો થઈ રહ્યાં છે. તેના ગુમ થયા બાદ તેની લાશ મળતાં પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાને લઈને સમગ્ર કચેરીમાં ચકચાર મચી જવા પામી હતી.