Last Updated on by Sampurna Samachar
રાજ્યના સરકારી કર્મચારીઓના DA માં વધારો કરાયો
બોર્ડ નિગમના કર્મચારીઓનો લાભ નહીં મળે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકાર દ્વારા ફરી એકવાર સરકારી કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે મળેલી કેબિનેટમાં રાજ્યના સરકારી કર્મચારીઓના DA માં વધારો કરવાનો ર્નિણય લીધો છે. સરકારી કર્મચારીઓના DA માં ૨ ટકાનો વધારો કરવાનો ર્નિણય લેવામા આવ્યો છે.
કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૫ માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો, ત્યારથી તેઓ રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને ૫૩% DA મળે છે. કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. જોકે, આ વધારેલું DA ક્યારેથી લાગુ થશે તે અંગે હજુ માહિતી સામે આવી નથી.
બોર્ડ નિગમના કર્મચારીઓનો લાભ નહીં મળે
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટો ર્નિણય લીધો છે, જે અંતર્ગત હવે કર્મચારીઓના DA માં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના DA માં વધારો કરશે. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ ૫૩% DA મળે છે, હવેથી ૫૩ ના બદલે કર્મચારીઓને ૫૫ ટકા DA મળશે. જોકે, વધારેલું DA ક્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે.
૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ ૨% DA માં વધારો કર્યો તે રાજ્ય સરકારે તાત્કાલિક ૧૫ દિવસમાં અમલ કરવાનો ર્નિણય લીધો છે. કેન્દ્ર સરકારને પગલે હવે રાજ્ય સરકારે પણ ૨% DA માં વધારો કર્યો છે. પહેલી જાન્યુઆરીથી તફાવતની રકમ એપ્રિલ મહિનાના પગારમાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. કુલ નવ લાખ કર્મચારી અને પેન્શનરોનું લાભ રહેશે. આ ર્નિણય રાજ્ય સરકારના કર્મચારીઓ માટે છે. બોર્ડ નિગમના કર્મચારીઓનો લાભ નહીં મળે. આ ર્નિણય સરકાર હવે પછી લેશે.
રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ર્નિણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-૨૦૨૫ના પગાર સાથે ચૂકવવામાં આવશે.આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૮ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮૧ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.૨૩૫ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.૯૪૬ કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકે કરેલા આ ર્નિણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.