હવે એરપોર્ટ પાસે મકાન , ઇમારત હોય તો જાણી લેજો આ નિયમો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

નવા ડ્રાફ્ટ નિયમોને એરક્રાફ્ટ-૨૦૨૫ નામ અપાયું

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદમાં ૧૨ મી જૂને વિમાન ક્રેશની દુ:ખદ દુર્ઘટનામાં નિર્દોષ ૨૭૯ લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો છે. મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમ ઊભું કરતી ભૌતિક રચનાઓ પર નિયંત્રણ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો રજૂ કર્યા છે.

૧૨ જૂનના દિવસે અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. જે આ ઘટના બાદ, કેન્દ્ર સરકાર હવે કડક પગલાં લઈ રહી છે. નવા ડ્રાફ્ટ નિયમોને એરક્રાફ્ટ-૨૦૨૫ નામ આપવામાં આવ્યું છે. આ નિયમો ગેઝેટમાં પ્રકાશિત થતાં જ અમલમાં આવશે.

હવે કોઇ ફ્લાઇટ દુર્ઘટના ના થાય તે માટે કડક નિયમો

આ નિયમોનો  હેતુ અધિકારીઓને ઍરપોર્ટની આસપાસના નિયુક્ત વિસ્તારોમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ ઇમારતો અને વૃક્ષો પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સશક્ત બનાવવાનો છે. આ પહેલને ફ્લાઇટ પાથમાં અવરોધોને કારણે થતાં અકસ્માતોને રોકવા માટેના એક સક્રિય પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

ડ્રાફ્ટ નિયમો હેઠળ, જો કોઈ માળખું નિર્ધારિત ઊંચાઈથી ઉપર હોવાનું જણાય, તો સંબંધિત વિસ્તારના પ્રભારી અધિકારી દ્વારા નોટિસ જાહેર કરવામાં આવશે. મિલકત માલિકે ૬૦ દિવસની અંદર સાઇટ પ્લાન અને માળખાના માપન સહિત અન્ય વિગતો સબમિટ કરવાની રહેશે. જો આમ કરવામાં ન આવે, તો અધિકારીઓને માળખાને તોડી પાડવા અથવા તેની ઊંચાઈ ઘટાડવા માટે કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે.

જો ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) અથવા કોઈપણ અધિકૃત અધિકારીને કોઈ માળખું નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય, તો તે તેને દૂર કરવા અથવા ઘટાડવાનો આદેશ જારી કરી શકે છે. માલિકને પાલન કરવા માટે ૬૦ દિવસનો સમય મળશે, જે માન્ય કારણોસર બીજા ૬૦ દિવસ સુધી લંબાવી શકાય છે.

આ ઉપરાંત, અધિકારીઓને દિવસ દરમિયાન સ્થળનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવશે, જો તેઓ મિલકત માલિકને અગાઉથી જાણ કરે. જો મિલકત માલિક સહકાર ન આપે, તો અધિકારીઓ ઉપલબ્ધ માહિતીના આધારે વધુ કાર્યવાહી કરી શકે છે અને મામલો DGCA ને મોકલી શકે છે.

ડ્રાફ્ટ નિયમો હેઠળ, જો કોઈ માળખું દૂર કરવા અથવા ઘટાડવાનો આદેશ પસાર કરવામાં આવે છે, તો મિલકત માલિક નિર્ધારિત ફોર્મ, જરૂરી દસ્તાવેજો અને ૧,૦૦૦ રૂપિયાની ફી સાથે પ્રથમ અથવા બીજા અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકે છે.

આમાં વળતરની શરતો પણ નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં માલિકને સત્તાવાર આદેશો અનુસાર માળખું તોડી પાડવા અથવા તેમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે અને જેમણે આદેશનું પાલન કર્યું છે તેમને જ ભારતીય હવાઈ પરિવહન અધિનિયમ-૨૦૨૪ની કલમ ૨૨ હેઠળ વળતર આપવામાં આવશે. સૂચનાની તારીખ પછી નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલં કોઈપણ માળખું વળતર મેળવશે નહીં.  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પ્રકાશનના ૨૦ દિવસની અંદર આ ડ્રાફ્ટ નિયમો પર જનતા પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.