Last Updated on by Sampurna Samachar
મારા પરિવારનું નામ રોશન કરવાનો મને ગર્વ
રિઝલ્ટ જાહેર થયા પછી મને વિશ્વાસ ન આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
UPSC ના જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ભારતમાં બીજો ક્રમ મેળવનાર હર્ષિતા ગોહેલ વડોદરાની રહેવાસી છે. તેણે એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાંથી ૨૦૨૦ માં ડિગ્રી મેળવી હતી. સાથે સાથે વડોદરામાંથી CA ની પરીક્ષા પણ પાસ કરી હતી. UPSC ની પરીક્ષામાં પણ તેણે ઝળહળથી સફળતા મેળવી પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી હર્ષિતા ગોહિલે UPSC માટે અમદાવાદની સ્પીપામાં તૈયારી કરી હતી. એક ઇન્ટરવ્યૂમા તેણે કહ્યું હતું કે રિઝલ્ટ જાહેર થયા પછી મને વિશ્વાસ નહોતો થતો કે મને આખા ભારતમાં બીજો ક્રમ મળ્યો છે. મારા પરિવારનું નામ રોશન કરવાનો મને ગર્વ છે.
પરીક્ષામાં સફળતા માટે સાતત્યપૂર્ણ તૈયારી જરૂરી
હર્ષિતાએ કહ્યું હતું કે મેં જ્યારે CA ની ડીગ્રી લીધી ત્યાં સુધી UPSC પરીક્ષા અંગે વિચાર્યું ન હતું. એ પછી મારા પિતાની પ્રેરણાથી મેં સિવિલ સર્વિસનો અભ્યાસ કરવાનો નક્કી કર્યું હતું. પરીક્ષામાં સફળતા માટે સાતત્યપૂર્ણ તૈયારી જરૂરી છે. ક્યારેક એવો સમય પણ આવતો હોય છે કે જ્યારે વાંચવાનું મન ના થાય. તે વખતે આત્મવિશ્વાસ અને મનોબળ જરૂરી હોય છે. બીજાનું અનુકરણ કરવાનો કે તેની પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી તમારે તમારા મનની વાત સાંભળવી જોઈએ.
હર્ષિતાએ કહ્યું હતું કે મેં સોશિયલ મીડિયા બંધ નહોતું કર્યું. એવું નથી કે સોશિયલ મીડિયા મૂકતાં જ કરે છે તેના પર ઉપયોગી માહિતી પણ ઉપલબ્ધ હોય છે અવાજે એક એકાઉન્ટના કારણે મને પ્રિલિમ પરીક્ષામાં મદદ મળી હતી. તમારું જો તમારા મન પર નિયંત્રણ હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં વાંધો નથી પણ જો તમે એવું લાગતું હોય કે સોશિયલ મીડિયા ધ્યાન ભટકાવે છે તો તેનો ઉપયોગ ના કરો.