ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવતા મમતા બેનર્જી સામે FIR

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વકીલ દ્વારા નોંધાવવામાં આવી ફરિયાદ

નિવેદનમાં દેશના ગૃહ મંત્રાલયનું નામ પણ ઢસેડ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનરજીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. કોલકાતામાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના હાઈ-પ્રોફાઈલ હત્યાકાંડમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહ મંત્રી અમિત શાહનું નામ ઢસેડવા બદલ તેમની સામે FIR નોંધવામાં આવી છે. આ ફરિયાદ સિલીગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક વકીલ દ્વારા નોંધાવવામાં આવી છે.

માહિતી મુજબ આ વિવાદ ૨ જૂન ૨૦૨૬ ના રોજ કોલકાતાના ધર્મતલામાં TMC ના એક ધરણા પ્રદર્શન દરમિયાન શરૂ થયો હતો. પોતાના ભાષણમાં મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે, મને બાંગ્લાદેશમાં થયેલી એક મોટી હત્યા પાછળના સંપૂર્ણ ષડયંત્ર અને તેમાં સામેલ લોકોના નામની માહિતી છે, પરંતુ હું તેનો ખુલાસો નહીં કરું કારણ કે તેનાથી પાડોશી દેશમાં ઉથલ-પાથલ મચી શકે છે. તેમનો ઈશારો સ્પષ્ટપણે બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન બિન હાદીની હત્યા તરફ હતો.

સિલીગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મમતા બેનરજીએ ધરણા સ્થળ પરથી કહ્યું હતું કે, STF એ બાંગ્લાદેશથી એક મોટા હત્યારાની ધરપકડ કરી હતી. આ બાબતે બાંગ્લાદેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. હું બીજા દેશોની વાત નથી કરી રહી, મારો પોઇન્ટ એ છે કે તે લોકો મેઘાલયના રસ્તે બંગાળમાં આવ્યા. અહીં આવ્યા બાદ અમારી STF એ તેમને પકડ્યા. ગૃહ મંત્રી પોતે કહી રહ્યા છે. મેં આટલા દિવસ સુધી કંઈ નહોતું કહ્યું, પરંતુ આજે અત્યાચાર તેની ચરમસીમા વટાવી ગયો છે, એટલે બોલી રહી છું. મારું હૃદય સત્યનો ભંડાર છે.

મમતા બેનરજીના આ સનસનીખેજ દાવા બાદ સિલીગુડીના વકીલ રિંકી ચેટર્જી સિંહે તેમની સામે સિલીગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધાવ્યો છે. વકીલનું કહેવું છે કે, મમતા બેનરજીએ પોતાના નિવેદનમાં દેશના ગૃહ મંત્રાલયનું નામ પણ ઢસેડ્યું છે. વકીલનો આરોપ છે કે ખુલ્લા મંચ પરથી દેશના વહીવટીતંત્ર સાથે જોડાયેલી આવી સંવેદનશીલ અને ગુપ્ત માહિતી જાહેર કરવાથી દેશની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ જ વકીલે ગત અઠવાડિયે પણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અન્ય એક મામલે ફરિયાદ નોંધાવી હતી.

બાંગ્લાદેશના ઇન્કલાબ મંચના સંયોજક અને ભારત વિરોધી શરીફ ઉસ્માન બિન હાદીને ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઢાકામાં ગોળી મારવામાં આવી હતી. ૧૮ ડિસેમ્બરના રોજ સિંગાપોરની એક હોસ્પિટલમાં તેનું નિધન થઈ ગયું, ત્યારબાદ બાંગ્લાદેશમાં ભારે ભારત-વિરોધી પ્રદર્શનો થયા હતા. હત્યાના મુખ્ય શંકાસ્પદ આરોપીઓ- ફૈઝલ કરીમ મસૂદ અને આલમગીર હુસૈન કથિત રીતે મેઘાલય સરહદેથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. પશ્ચિમ બંગાળ STF એ માર્ચ ૨૦૨૬માં આ લોકોની ધરપકડ કરી હતી અને ત્યારથી તેઓ ભારતીય એજન્સીઓની કસ્ટડીમાં છે.

મમતા બેનરજીના આ નિવેદને સરહદ પાર પણ રાજકીય હલચલ તેજ કરી દીધી છે અને ત્યાંના ભારત-વિરોધી જૂથોને નવો મુદ્દો આપી દીધો છે. જાે કે, બાંગ્લાદેશ સરકારે મમતાના દાવાઓથી અંતર જાળવી રાખ્યું છે. બાંગ્લાદેશના વિદેશી બાબતોના રાજ્ય મંત્રી શમા ઉબૈદે આ અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોઈ અન્ય દેશમાં ચૂંટણીની મોસમ દરમિયાન એક રાજકીય નેતાની ટિપ્પણીઓ પર જવાબ આપવો યોગ્ય નથી. ઉસ્માન હાદીની હત્યાના શંકાસ્પદોના પ્રત્યાર્પણ માટે અમે સીધા જ રાજદ્વારી ચેનલો દ્વારા ભારત સરકારના સંપર્કમાં છીએ અને આ મામલે ઘણી પ્રગતિ થઈ ચૂકી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.