Last Updated on by Sampurna Samachar
અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડીનો બનાવ
ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા આ અંગે રજૂઆત થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામજોધપુર તાલુકાના વિવિધ ગામો જેવા કે કડબાલ,ભૂપત આંબરડી,જામ આંબરડી ગામે નલ સે જલ યોજના અંતર્ગત ખેડૂતોના ખેતરના ઉભા પાકમાંથી પાઇપલાઇન નાખવામાં આવી છે. આ પાઇપ લાઇન નાખતા પહેલા વળતરના ભાવ માટે પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે વાતચીત કરી ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોન્ટ્રાકટર અને અધિકારીઓએ કામ મોડુ ચાલુ કરી નક્કી કરેલ રકમના ૫૦ ટકા થી પણ ઓછી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવી છે.
ખેડૂતોના ખેતરમાં જે પાઇપલાઇન નાખવામાં આવેલ છે. તેના વળતર ચુકવવા માટે કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ વળતરની ગણતરી પણ ભુલ ભરેલ છે. આમ અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
હજુ સુધી નથી મળ્યું ખેડૂતોને વળતર
આ અંગે ધારાસભ્ય હેમતભાઈ ખવા દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા માટે અગાઉ પણ ફરિયાદ અને સંકલનની બેઠકમાં પણ રજૂઆત કરવામાં હતી. પરંતુ હજુ સુધી ખેડૂતોને કોઈ પણ વળતર ચૂકવવામાં આવ્યુ નથી.
આમ ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયેલ હોય તેવું પ્રતીત થાય છે. આથી ખેડૂતોને પોતાના પાક નુકસાનીનું યોગ્ય વળતર મળી રહે તે માટે આ અંગે યોગ્ય તપાસ કરી કોન્ટ્રાકટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી ખેડૂતોને પુરતુ વળતર ચુકવવામાં આવે અન્યથા આ બાબતે ધારાસભ્ય હેમંતભાઈ ખવા દવારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે.