Last Updated on by Sampurna Samachar
આરોપીઓએ અપશબ્દો બોલી પિતાને માર માર્યો
પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નશાખોરો બેફામ બન્યા હોય તેમ આતંક મચાવે છે. ત્યારે શહેરમાં રાતે બે નશેબાજોએ રાત્રિ બજારમાં માતા – પિતાની હાજરીમાં જ તેઓની પુત્રીની છેડતી કરી હતી. જે બાદ દિકરીના પિતા બોલવા જતાં તેમને માર માર્યો હતો. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નવાપુરા વિસ્તારમાં રહેતા વેપારી પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે મોડીરાતે રાત્રિ બજારમાં ગયા હતા. વેપારી કારમાંથી નીચે ઉતરી બજારમાં ગયા હતા. તેમના પત્ની અને ત્રણ પુત્રીઓ કારમાં બેઠા હતા. તે દરમિયાન રાત્રિ બજારમાં આવેલા બે નશેબાજો કારમાં બેસેલી વેપારીની પુત્રીઓને ખરાબ રીતે જોતા હતા.
હરણી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો
જે અંગે વેપારી તેઓને કહેવા જતા નશેબાજ આરોપીઓએ અપશબ્દો બોલી માર માર્યો હતો. તેમજ આરોપીએ કારનો દરવાજો ખોલી વેપારીની સગીર વયની ૧૨ વર્ષની દીકરીને હાથ પકડવાની કોશિશ કરી હતી. જેથી, વેપારીએ કંટ્રોલ રૂમમાં કોલ કરતા હરણી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
આમ પોલીસે આ મામલે નશેબાજ જગરુપસીંગ મેજરસીંગ જોહલ તથા મનદીપસીંગ હરદેવસીંગ જોહલ ( બંને રહે. ગુરુનાનક નગર, છાણી જકાત નાકા) ને ઝડપી પાડી છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.