Last Updated on by Sampurna Samachar
દેશ-વિદેશમાંથી ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવ્યા
શ્રદ્ધાળુઓની યાત્રા સુરક્ષિત રહે તેની વ્યવસ્થા કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામના કપાટ ખૂલી ગયા છે. કપાટ સવારે ૭ વાગ્યાથી સંપૂર્ણ વિધિ વિધાનથી ખોલવામાં આવ્યા હતા. તે દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. આ અવસર પર ભારતીય સેનાની ગઢવાલ રાઈફલ્સના બેંડે ભક્તિ ધૂન વગાડવામાં આવી હતી. સાથે ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ (પુષ્પ વર્ષા) પણ કરવામાં આવ્યો હતો. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે બાબા કેદારનાથ ધામના કપાટ ખોલતા પહેલા જ દેશ-વિદેશમાંથી ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા છે.
ભક્તોની રાહનો અંત આવ્યો છે, કારણ કે ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. જ્યાં સવારે દરવાજા ખોલવામાં આવ્યા, જ્યાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન CM પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા. કપાટ ખુલ્યા પછી ભક્તોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે કેદારનાથમાં ભક્તોના આનંદ માણતા હોવાના વીડિયો સામે આવ્યા છે, જેમાં ભક્તોની ખુશી જોઈ શકાય છે. દરવાજા ખુલતા પહેલા રાજ્યમાં વરસાદને કારણે હવામાન ખુશનુમા બન્યું હતું.
મુખ્યમંત્રીએ ભક્તોને સંબોધિત કર્યા
ત્યારે કપાટ ખુલ્યા બાદ સીએમ પુષ્કર સિંહ ધામીએ ભક્તોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે ‘ચારધામ યાત્રા ૩૦ એપ્રિલે અક્ષય તૃતીયાના અવસર પર શરૂ થઈ છે. ત્યારે આજથી બે દિવસ પછી ભગવાન બદ્રીનાથ વિશાલના કપાટ પણ ખુલશે. આ યાત્રા પૂરા જોશ સાથે શરૂ થશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે અમે ખાતરી આપવાનો પ્રયાસ કર્યો છે કે શ્રદ્ધાળુઓની યાત્રા સુરક્ષિત રહે અને તેમને યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે, જેના માટે અમે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે.