પાકિસ્તાન – બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર વિશે સંસદમાં ડેટા રજૂ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વિદેશમંત્રી એસ જયશંકરે આપી માહિતી

શેખ હસીનાની સરકાર ગયા બાદ સ્થિતિ વણસી :  વિદેશમંત્રી

(સંપૂર્ણ સમાચાર સેવા)

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાને લઇ ઉઠતા સવાલોનો વિદેશમંત્રી એસ જયશંકરે (JAISHANKAR) સંસદમાં જવાબ આપતો ડેટા રજૂ કર્યો હતો. જેમાં લોકસભામાં લઘુમતીઓ પર અત્યાચારનો ડેટા બતાવીને પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતી મુદ્દા પર નજર રાખીએ છીએ અને તેને ઉઠાવીએ છીએ. આ દરમિયાન તેમણે ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો.

પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થતા અત્યાચારો પર સંસદમાં બોલતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ભારત આવી બાબતો પર ઝીણવટભરી નજર રાખે છે અને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉઠાવે છે. યુએનમાં ભારતના સ્ટેન્ડને પુનરાવર્તિત કરતી વખતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યાં માનવાધિકારના ઉલ્લંઘન અને લઘુમતીઓ પરના અત્યાચારો માટે પાડોશી દેશનું નામ શરમમાં મુકવામાં આવ્યું હતું.

આપણે પાડોશી દેશની માનસિકતા બદલી શકતા નથી

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો પર એસ જયશંકરે કહ્યું કે ભારત પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે થતો વ્યવહાર જુએ છે. ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના હિંદુઓ પર અત્યાચારના ૧૦ કેસ નોંધાયા હતા. સરકાર તરીકે અને એક દેશ તરીકે આપણે આપણા પાડોશી દેશની માનસિકતા બદલી શકતા નથી, જે કટ્ટરવાદી છે.

ઈન્દિરા ગાંધી પણ આ કરી શક્યા નહીં. પાકિસ્તાન સરકાર લઘુમતીઓના રક્ષણ માટે પગલાં લેતી નથી. ૨૦૧૪થી અત્યાર સુધીમાં પાકિસ્તાનથી ભારતમાં આવતા લઘુમતીઓને ૧૫ હજાર ૧૯ છે. તેમને લાંબા ગાળાના વિઝા આપવામાં આવ્યા છે. તે જ સમયે, જયશંકરે બાંગ્લાદેશમાં લઘુમતીઓ દ્વારા થઈ રહેલા હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

એસ જયશંકરે લોકસભામાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪ માં બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાના ૨૪૦૦ કેસ નોંધાયા. આ વર્ષે એટલે કે ૨૦૨૫ માં હુમલાના ૭૨ કેસ નોંધાયા છે. અમે બાંગ્લાદેશમાં લઘુમતીઓના મુદ્દા પર નજીકથી નજર રાખીએ છીએ. અમે બાંગ્લાદેશમાં અમારા સમકક્ષને ભારતની ચિંતાઓ જણાવી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ગયા બાદ હિન્દુઓને ખૂબ નિશાન બનાવવામાં આવ્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.