કોંગ્રેસે ખાનગી કોલેજોમાં અનામત આપવાની માંગ કરી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કોંગ્રેસની માંગ પર કેન્દ્ર સરકારનો કોઇ જવાબ નહીં

કોંગ્રેસની કોમ્યુનિકેશન સેલના પ્રમુખ જયરામ રમેશે કરી માંગ

(સંપૂર્ણ સમાચાર સેવા)

કોંગ્રેસ  દ્વારા ખાનગી કોલેજોમાં પણ અનામત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ (CONGRESS) ની કોમ્યુનિકેશન સેલના પ્રમુખ જયરામ રમેશે માંગણી કરી હતી. તેમણે સંસદીય સમિતિની ભલામણનું સમર્થન કરતાં આ માંગ કરી જેમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના આર્ટિકલ ૧૫(૫) હેઠળ ખાનગી કોલેજોમાં પણ OBC , SC અને ST વર્ગને અનામત આપવામાં આવે.

રસપ્રદ વાત એ છે કે લગભગ ૨૦ વર્ષ પહેલા જ આ મામલો આવ્યો હતો અને બંધારણમાં સુધારા બાદ પણ તત્કાલીન યુપીએ-૧ સરકાર આનાથી પાછળ હટી ગઈ હતી. આ સરકારનું નેતૃત્વ કોંગ્રેસ તરફથી જ કરવામાં આવી રહ્યું હતું.  UP એ સરકારના સમયમાં જ બંધારણમાં ૯૩મો સુધારો થયો હતો, જેમાં આર્ટિકલ ૧૫(૫) લાવવામાં આવ્યું હતું.

બે દાયકા બાદ કોંગ્રેસે ફરીથી આ માંગ ઉઠાવી

UP સરકારે ૨૦૦૬માં આ જોગવાઈ હેઠળ સેન્ટ્રલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન્સ એક્ટ પસાર કર્યો હતો. તેના દ્વારા સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત લાગુ કરવામાં આવી હતી. પરંતુ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ માટે આવી કોઈ જોગવાઇ નહોતી. જયરામ રમેશે કહ્યું કે ૨૦૦૮ માં આ મામલાની સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી, જેને આને અકબંધ રાખ્યો હતો.

કોર્ટે એ પણ કહ્યું હતું કે ખાનગી બિનસહાયિત સંસ્થાઓમાં એડમિશન પર અનામતના સવાલ પર પણ વિચાર કરવામાં આવી શકે છે. હવે લગભગ બે દાયકા બાદ કોંગ્રેસે ફરીથી એ માંગ ઉઠાવી છે કે ખાનગી સંસ્થાઓમાં એડમિશન પર અનામત લાગુ થાય જેની પર તેણે પોતાના સમયમાં મૌન સાધી લીધું હતું.

કોંગ્રેસે નિવેદન જાહેર કરતાં કહ્યું કે કોર્ટના ર્નિણયથી સ્પષ્ટ છે કે એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોને બંધારણીય રીતે ખાનગી સંસ્થાઓમાં અનામત મળી શકે છે. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં આ અનામતનું વચન આપ્યું હતું.

હવે સંસદીય સમિતિએ પણ આવી જ અનામતની ભલામણ કરી છે તો તે માંગને કોંગ્રેસે ફરી માંગી છે. આ સમિતિનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ કરી રહ્યાં છે. હાલ દેશની કોઈ પણ ખાનગી શિક્ષણ સંસ્થામાં જાતિગત અનામત લાગુ નથી. જોકે જાણકાર માને છે કે આર્ટિકલ ૧૫ (૫) ના વિશ્વાસે જ અનામત લાગુ કરી શકાતી નથી. આવું કરવા માટે વધુ એક કાયદાની જરૂર છે જે તેનું સમર્થન કરે.

જોકે ૨૦૦૨ માં એક કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થા સ્થાપિત કરવાનો મૂળ અધિકાર છે. આ સિવાય આ પણ સંસ્થાનો અધિકાર છે કે તે નક્કી કરે કે પ્રવેશ પ્રક્રિયા શું હશે. જાણકાર માને છે કે જે રીતે દેશમાં સ્તરીય ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા વધી છે. તેને જોતાં વંચિત વર્ગના બાળકોને પણ એડમિશનમાં પ્રાથમિકતા આપવામાં આવે. તેની જરૂર છે. હાલ કોંગ્રેસની માંગ પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.