Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન અવાર નવાર ભારતને આપી રહ્યુ છે ખોખલી ધમકી
ચીન ભારતમાં બ્રહ્મપુત્ર નદીના પાણીનો પ્રવાહ રોકી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર કડક વલણ અપનાવ્યું છે. ભારતે પાકિસ્તાન સાથે સિંધુ નદીના પાણીનો પ્રવાહ બંધ કરી દીધા બાદ પાકિસ્તાનની સ્થિતિ માથાભારે થઈ ગઈ છે. પાકિસ્તાન અવારનવાર આ કરાર અંગે ભારતને ખોખલી ધમકી આપી રહ્યું છે.
પાકિસ્તાને હવે ભારતમાં ભય ફેલાવવા માટે એક નવું જૂઠાણું ફેલાવ્યું છે કે, સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના જવાબમાં અમારો મિત્ર દેશ ચીન ભારત (BHARAT) માં બ્રહ્મપુત્ર નદીના પાણીનો પ્રવાહ રોકી શકે છે. હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ ધમકીનો જવાબ તથ્યો સાથે આપ્યો છે, જે પાકિસ્તાનની આંખો ખોલી નાખશે.
બ્રહ્મપુત્રા નદી ભારતમાં આર્ત્મનિભર ?
મુખ્યમંત્રીએ તેમણે પાકિસ્તાનની આ થિયરીને સંપૂર્ણપણે નકારી કાઢી છે કે ભારતમાં બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ ચીનથી આવતા પાણી પર ર્નિભર કરે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વિગતવાર જણાવ્યું કે, ‘ કેવી રીતે બ્રહ્મપુત્રા નદી ભારતમાં આર્ત્મનિભર છે અને તેણે પોતાનો પ્રવાહ જાળવી રાખવા માટે ચીનના પાણી પર ર્નિભર નથી રહેવું પડતું. હિમંતા બિસ્વા સરમાના મતે બ્રહ્મપુત્રાના કુલ પાણીના પ્રવાહમાં ચીન માત્ર ૩૦-૩૫% યોગદાન આપે છે, તે પણ મોટાભાગે પીગળતી હિમનદીઓ અને મર્યાદિત વરસાદના કારણે.
તેમણે X પર લખ્યું કે, ‘ભારત દ્વારા જ્યારથી સૌથી જૂની અને એકપક્ષીય સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ત્યારથી, પાકિસ્તાન એક નવો ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જો ચીન બ્રહ્મપુત્રના પાણીને અટકાવે તો શું થશે ? ચાલો આપણે આ ખોટી કહાનીને ડરથી નહીં પરંતુ તથ્યો અને રાષ્ટ્રીય સ્પષ્ટતાથી તોડી નાખીએ. બ્રહ્મપુત્ર એક એવી નદી છે જે ભારતમાં વધે છે, ઘટતી નથી. ચીન બ્રહ્મપુત્રના કુલ પાણીના પ્રવાહમાં માત્ર ૩૦-૩૫% યોગદાન આપે છે. તે પણ મોટાભાગે હિમનદીઓ પીગળવા અને મર્યાદિત વરસાદથી. બાકીનું ૬૫-૭૦% પાણી ભારતમાં જ ઉત્પન્ન થાય છે.‘ તેમણે આનું કારણ પણ જણાવ્યું.
હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, ‘અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મેઘાલયમાં મૂશળધાર વરસાદ. પ્રમુખ સહાયક નદીઓ: સુબનસિરી, લોહિત, કામેંગ, માનસ, ધનસિરી, જિયા-ભારાલી, કોપિલી, મેઘાલયની ખાસી, ગારો અને જયંતિયા પહાડોમાંથી નીકળતી કૃષ્ણાઈ, દિગારુ, કુલસી વગેરે સહાયક નદીઓ ભારતની બ્રહ્મપુત્રા નદીના પ્રમુખ જળ સ્ત્રોત છે. ભારત-ચીન સરહદ પર બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ ૨,૦૦૦–૩,૦૦૦ ઘન મીટર/સેકન્ડ રહે છે, જ્યારે ગુવાહાટી જેવા આસામના મેદાનોમાં ચોમાસા દરમિયાન આ પ્રવાહ ૧૫,૦૦૦–૨૦,૦૦૦ ઘન મીટર/સેકન્ડ થઈ જાય છે.
તેમણે કહ્યું કે, ‘ભારતમાં પ્રવેશ્યા પછી બ્રહ્મપુત્રા નદી સશક્ત બને છે. તે એક ભારતીય, વરસાદ આધારિત નદી પ્રણાલી છે, જે કોઈ એક સ્ત્રોત પર ર્નિભર નથી. પાકિસ્તાને જે સત્ય જાણવું જાેઈએ તે એ છે કે – જો ચીન ક્યારેય બ્રહ્મપુત્રનું પાણી ઓછું પણ કરી દે (જોકે અત્યાર સુધી કોઈપણ મંચ પર કહેવામાં આવ્યું નથી અથવા સંકેત આપવામાં નથી આવ્યો), તો તે ભારત માટે મદદરૂપ જ બનશે, નુકસાનકારક નહીં બને, કારણ કે દર વર્ષે આસામમાં આવતા વિનાશક પૂર લાખો લોકોને વિસ્થાપિત કરે છે અને મોટા પાયે વિનાશ વેરે છે. પાકિસ્તાન જણે ૭૪ વર્ષ સુધી સિંધુ જળ સંધિથી અપાર લાભ ઉઠાવ્યો છે, તે હવે ગભરાઈ રહ્યું છે, કારણ કે ભારત તેના પાણીના અધિકારો પર સાર્વભૌમ ર્નિણયો લઈ રહ્યું છે.