Last Updated on by Sampurna Samachar
લાઈસન્સ અને રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની નોટિસ અપાઇ
૦૨ લાખ ૬૫ હજારનો તેલનો જથ્થો સીઝ કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં મહાનગર પાલિકા ફુડ વિભાગ દ્વારા ખાદ્ય એકમો પર ચેકીંગ કરતા તવાઈ બોલાવી હતી. અનેક રેસ્ટોરન્ટ અને હોટલ તેમજ ધંધાકીય એકમ પર ફુડ વિભાગના નિયમનું પાલન જોવા મળ્યું ન હતું. જેના અનુસંધાને AMC ફુડ વિભાગે એકમ પણ સીલ કરવાની ફરજ પડી હતી. તે સાથે પાલડી ભઠ્ઠા ખાતેથી લેવામાં આવેલા આઈસ્ક્રીમના રિપોર્ટ ચોંકાવનાર સામે આવ્યા છે.
પાલડી સ્થિત યસ્વી બેવરેજીસમાં સ્ટ્રોબરી આઈસ્ક્રીમનો સેમ્પલ લેવાયા હતા. જે પૃથ્થકરણમાં સબસ્ટાન્ડર્ડ આવ્યા હતા. AMC દ્વારા એકમના ફુડ બીઝનેસ લાઈસન્સ અને રજીસ્ટ્રેશન હાલ સસ્પેન્ડ કરવાની નોટિશ ઇશ્યુ કરવામાં આવેલ છે.
અનહાઈજેનિક કન્ડીશન મળતા એકમ સીલ કરાયું
AMC ફુડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ એકમમાં સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન AMC ટીમ દ્વારા દૂધ અને દૂધની બનાવટોના ૧૧ નમૂના, બેકરી પ્રોડક્ટસના ૦૪ નમૂના, બેસન અને ગોળના ૩૬ નમૂના, કેરીના રસ, શેરડીનો રસ, મેંગો મિલ્ક શેક, મોસંબી જ્યુસ, ચીકુ મિલ્ક શેક સહિત ૧૯ નમૂના, ઠંડા પીણીના ૦૫ નમૂના લેવામાં આવ્યા હતા.
ઉપરાંત બાપુનગર સ્થિત આવેલ બદામી મિલ કમ્પાઉન્ડમાં તૈયાર થનાર વેજીટેબલ ચટણીના કારખાના તપાસ હાથ ધરતા, અહીં અનહાઈજેનિક કન્ડીશન મળી આવતા એકમને જાહેર હિત માટે સીલ કરાયું હતું. આ સાથે સાઉથ બોપલ ખાતે શાશ્વત હોસ્પિટાલીટી (TSF) રેસ્ટોરન્ટમાં ગ્રાહકને ડીશમાં જીવાત નીકળવાની ફરિયાદ તેમજ તપાસ દરમ્યાન અનહાઈજેનિક કન્ડીશન મળતા એકમ સીલ કરાયું હતું.
બહેરામપુરા વોર્ડમાં આવેલા ચાંદોલા તળાવ પાસે મિલન ઓઇલસ પ્રા. લી. ના રિફાઇન્ડ પામોલીન ઓઇલ અને રિફાઇન્ડ સોયાબીન તેલના નમૂના લઈ લેબ અર્થે પૃથ્થકરણ માટે મોકલાયા હતા. જ્યાં સુધી ઓઇલની તપાસ ન થાય ત્યાં સુધી બે લાખ ૬૫ હજારનું તેલનો જથ્થો સીઝ કરાયો હતો.
AMC ફુડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂના પરિણામ પણ ચોંકાવનારા આવ્યા છે. નરોડા સ્થિત બાબાદીપ સિંહ રેસ્ટોરન્ટના મલાઈ પનીર અનસેફ સાબિત થયું હતું. તેમજ પાલડી ભઠ્ઠા ખાતે આવેલી યસ્વી બેવરેજીસના સ્ટ્રોબરી આઈસ્ક્રીમ પણ સબસ્ટાન્ડર્ડ આવ્યું હતું. જમાલપુર વિસ્તારમાં આવેલી મિલન ઓઇલ ડેપોના રિફાઇન્ડ પામોલીન તેલ પણ સબસ્ટાન્ડર્ડ તપાસમાં આવ્યું હતું