Last Updated on by Sampurna Samachar
આતંકીઓએ પર્યટકોમાં ફક્ત પુરૂષોને જ ટાર્ગેટ કર્યા
પહલગામના રહેવાસી સૈયદ આદિલ હુસૈન શાહનું પણ મૃત્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૬ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ આ હુમલામાં તમામ પુરુષોને શિકાર બનાવ્યા છે. આતંકી હુમલાનો શિકાર મોટા ભાગના પર્યટકો થયા છે. વાત કરીએ તો મૃતકોમાં ગુજરાતના ૩ લોકોનો સમાવેશ થાય છે, જ્યારે તેમાં પહલગામના રહેવાસી સૈયદ આદિલ હુસૈન શાહનું પણ મૃત્યુ થયું છે.
આ હુમલામાં મહારાષ્ટ્રના ૫ લોકોના મૃત્યુ થયા છે. હેમંત સુહાસ જોશી અને સંજય લક્ષ્મણ લાલી મુંબઈના રહેવાસી હતા. જ્યારે અતુલ શ્રીકાંત મોની, સંતોષ જાગડા, કસ્તુબા ગાન્વોતે પણ મહારાષ્ટ્રના રહેવાસી છે. આતંકી હુમલામાં ઈન્દોરના સુશીલ નથાનિયલનું પણ મૃત્યુ થયું છે. તેઓ પોતાની પત્નીના જન્મદિવસ માટે કાશ્મીર ગયા હતા. સુશીલ એલઆઈસીના બ્રાન્ચ મેનેજર હતા.
ભાવનગરના પિતા – પુત્રનુ મોત
મરનારા લોકોમાં પહલગામના સૈયદ આદિલ હુસૈન શાહનું પણ મૃત્યુ થયું છે. નેપાળના સુદીપ નુપાને પણ આ હુમલામાં શિકાર થયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. આતંકીઓએ પહલગામમાં ખાલી પુરુષોને જ ટાર્ગેટ બનાવ્યા છે. તેમણે મહિલાઓ પર ગોળી નથી ચલાવી.
ગુજરાતથી આવેલા ૩ લોકોના મૃત્યુ થયા છે. તેમાં પિતા-પુત્ર પણ સામેલ છે. ગુજરાતના ભાવનગરના રહેવાસી યતેશ પરમાર અને તેમના દીકરા સુમિત પરમારનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત સૂરતના શૈલેષ ભાઈ હિમ્મતભાઈ કલાથિયા પણ માર્યા ગયા છે. આતંકી હુમલામાં મહારાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત યૂપી, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઓડિશા, કેરલ, ચંડીગઢ, કર્ણાટક અને અરુણાચલના લોકો શિકાર થયા છે.