મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં ૩૫ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને નિવેદનોનો સિલસિલો હજુ યથાવત છે, ત્યારે હવે સમાજવાદી પાર્ટી ના સાંસદ જયા બચ્ચને પ્રયાગરાજના સંગમ નાકા પર થયેલા અકસ્માતને લઈને UP સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. જયા બચ્ચને દાવો કર્યો છે કે અકસ્માત બાદ શ્રદ્ધાળુઓના મૃતદેહો નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
સપાના સાંસદે સંસદ ભવન સંકુલમાં કહ્યું હતું કે, ‘મહાકુંભમાં નાસભાગ મચી ગયા બાદ નદીમાં મૃતદેહો ફેંકવામાં આવ્યા હતા અને તેના કારણે પાણી પ્રદૂષિત થઈ ગયું હતું. હાલમાં સૌથી વધુ દૂષિત પાણી માત્ર કુંભમાં જ ક્યાં છે ? તેના માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી.
જયા બચ્ચને વધુમાં કહ્યું કે, ‘મૃતદેહોને પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જે પાણીને પ્રદૂષિત કરે છે. આ પાણી લોકો સુધી પહોંચી રહ્યું છે. આ બાબત (આઇવોશ) પરથી સંપૂર્ણ ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમની કોઈ વાત ન હતી, તેને સીધા પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને આ લોકો (ભાજપ) જળશક્તિ પર ભાષણો આપી રહ્યા છે.
મહત્વનું છે કે મૌની અમાવસ્યાના અવસર પર પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ નાક પાસે ભાગદોડ મચી ગઈ હતી. ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર, આ ભાગદોડમાં ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના બાદ જ વિપક્ષી દળોએ સરકાર પર નિશાન સાધવાનું શરૂ કર્યું, જે અત્યાર સુધી ચાલુ છે. વિપક્ષનો આરોપ છે કે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર મૃતકોના આંકડા છુપાવી રહી છે.
મેળાના વહીવટીતંત્ર અનુસાર, ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં ૩૫ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે. એક સમાચાર એજન્સીએ એક ન્યાયી અધિકારીને ટાંકીને કહ્યું કે ચારેય દિશાઓથી મેળામાં કરોડો લોકો આવતા રહે છે. ભીડને કાબુમાં લેવા માટે જિલ્લા પ્રશાસને કડક વ્યવસ્થા કરી છે.