Last Updated on by Sampurna Samachar
પહેલા બિરયાની ખાધી, પછી તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના ૪ લોકોના મોત
મોડી રાતે ઘરના તમામ સભ્યોની તબિયત ખરાબ થતા સારવાર દરમિયાન ચારેયના મોત થઈ ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા છે.આ ઘટના બાદ આખા વિસ્તારમાં માતમ છવાયેલો છે અને ચારે તરફ આ દુર્ઘટનાનું કારણ જાણવાની કોશિશ થઈ રહી છે.
![]()
પ્રાપ્ત જાણકારી અનુસાર, ડોકાડિયા પરિવારે રાતના સમયે બિરયાની ખાધી હતી. પછી થોડી વારમાં પરિવારના સભ્યોએ તરબૂચ પણ ખાધું. પણ મોડી રાતે અચાનક ઘરના તમામ સભ્યોની તબિયત ખરાબ થઈ.
મોત થવાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો
હાલત ગંભીર થતાં તેમને તરત હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના મોત થઈગયા.મૃતકોની ઓળખ ૪૦ વર્ષીય અબ્દુલ્લા ડોકાડિયા, તેમની પત્ની ૩૫ વર્ષીય નસરીન ડોકાડિયા, આયશા ડોકાડિયા (૧૬) અને જૈનબ ડોકાડિયા (૧૩) તરીકે થઈ છે. એક જ પરિવારના ચાર લોકોના આવી રીતે મોત થવાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મોત પહેલા પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, તેમણે રાતના સમયે બિરયાની અને બાદમાં તરબૂચ ખાધું હતું. તેથી એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે ઝેર બિરયાનીમાં હતું કે પછી તરબૂચમાં કે પછીબંને એક સાથે ખાવાથી કોઈ રિએક્શન થયું છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, શરુઆતી તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા બતાવવામાં આવી રહી છે, પણ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઝેર બિરયાનીમાં હતું, તરબૂચ કે પછી બંને એક સાથે ખાવાથી કોઈરિએક્શન થયું છે.
પોલીસે આ મામલામાં આકસ્મિક મોતનો કેસ નોંધી લીધો છે અને તપાસ શરુ કરી દીધી છે. ખાવાના નમૂના અનેતરબૂચને જપ્ત કરી તપાસ માટે મોકલી દીધું છે. પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યા છે. પણ મોતનું અસલી કારણ હિસ્ટોપૈથોલોજી રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધા છે. એક હસતા–ખેલતા પરિવારનું આ રીતે અચાનક ખતમથવાથી લોકોને અંદરથી ફફડી ગયા છે. તો વળી પ્રશાસન પણ આ વાતના મૂળ સુધી જવાની કોશિશ કરી રહીછે કે આખરે આ ત્રાસદી પાછળનું અસલી કારણ શું છે.