Last Updated on by Sampurna Samachar
નીતિશ કુમારના બે વિરોધી મજબૂત નેતા એક થયાં
RCP સિંહે આ વિલય અંગે આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી નીતિશ કુમારના ક્યારેક અત્યંત અંગત ગણાતા RCP સિંહે પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીમાં જોડાયા છે. કેન્દ્રીય પૂર્વ મંત્રી RCP સિંહ (રામચંદ્ર પ્રસાદ સિંહ) એક દિગ્ગજ અનુભવી નેતા તરીકે છાપ ધરાવે છે. તેઓ JDU ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. નીતિશ કુમારના બે વિરોધી મજબૂત નેતા એક થતાં જ બિહાર (BIHAR) રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
ચૂંટણીના રણનીતિકારથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોર બિહારના મુખ્યમંત્રી નીતિશ કમારના ગામ કલ્યાણ બિગહા પહોંચ્યા છે. જ્યાં RCP સિંહ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીમાં જોડાયા છે. તેમજ RCP સિંહનો પક્ષ ‘આસા’નો પણ જન સુરાજમાં વિલય કર્યો છે. RCP સિંહ હવે પ્રશાંત કિશોર સાથે નવી રાજકીય ઈનિંગની શરૂઆત કરશે.
RCP સિંહ પાસે જૂનો સામાજિક અનુભવ
પ્રશાંત કિશોરે એક પ્રેસ કોન્ફરન્સમાં જ આ વિલય અંગે અગાઉ માહિતી આપી દીધી હીતી કે, આરસીપી સિહં અને પ્રશાંત કિશોર એક સાથે મળીને કામ કરશે. RCP સિંહ પાસે જૂનો સામાજિક અનુભવ છે. તેઓ સરકારી અધિકારી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. રાજકીય સંગઠનનો બહોળા અનુભવનો લાભ જન સુરાજ પાર્ટીને મળશે.
RCP સિંહ એક સમયે નીતિશ કુમારના અત્યંત અંગત વ્યક્તિઓ પૈકી એક હતાં. પરંતુ બંને વચ્ચે મતભેદો વધતાં RCP એ JDU સાથે છેડો ફાડ્યો હતો. બાદમાં તેઓ ભાજપ સાથે જોડાયા હતા. પરંતુ ત્યાં પણ લાંબો સમય સુધી રહ્યા નહીં. અને ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ પોતાનો નવો પક્ષ બનાવ્યો. RCP સિંહે આ વિલય અંગે જણાવ્યું છે કે, એક સપ્તાહ પહેલાં જ નક્કી કરી લીધુ હતું કે, ૧૮ તારીખે આ કામ પૂર્ણ કરીશ.