Last Updated on by Sampurna Samachar
PM મોદીએ કિસાન સન્માન નિધિ વધારવાની કરી જાહેરાત
હાલમાં, દેશભરમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક ૬,૦૦૦ રૂપિયાનું વિતરણ કરવામાં આવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે જો ભાજપ રાજ્યમાં સરકાર બનાવે છે, તો ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માનનિધિ વધારીને ૯,૦૦૦ રૂપિયા કરવામાં આવશે. હાલમાં, દેશભરમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક ૬,૦૦૦ રૂપિયાનું વિતરણ કરવામાં આવે છે. દર ચાર મહિને, ૨,૦૦૦ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફરકરવામાં આવે છે.

બોનગાંવમાં એક રેલીને સંબોધતા, પીએમ મોદીએ મહિલાઓ માટે અનેક વચનો પણ આપ્યા. તેમણે કહ્યું કે, લખપતિ અભિયાન હેઠળ, અહીં બનવા જઈ રહેલી ભાજપ સરકાર બંગાળની ૭૫ લાખ મહિલાઓને લખપતિદીદી બનવામાં મદદ કરશે અને વાર્ષિક ૧૦૦,૦૦૦ રૂપિયાથી વધુ કમાણી કરશે.
પીએમ કિસાન સન્માન નિધિ પણ વધારીને ૯,૦૦૦ રૂપિયા કરશે
બંગાળની દીકરીઓ તેમનીપસંદગીની કારકિર્દી બનાવી શકશે, અને તેમને ૨૦ લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન મળશે. બેંક ગેરંટી માંગે છે. બહેનોને આ ગેરંટી ક્યાંથી મળશે? તેથી, તમારા ભાઈએ નક્કી કર્યું છે કે તમારા ભાઈ મોદી મારી બહેનો માટેબેંક ગેરંટી આપશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, બંગાળ ભાજપે બહેનો માટે એક મોટી જાહેરાત કરી છે. દર વર્ષે, બહેનોને ૩૬,૦૦૦રૂપિયા મળશે. જાે સરકાર પાંચ વર્ષ સુધી સત્તામાં રહેશે, તો તેમને ૧૮૦,૦૦૦ રૂપિયા મળશે. તેવી જ રીતે, દીકરીઓના શિક્ષણ માટે ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. પીએમ આવાસ યોજના હેઠળ ગરીબપરિવારોની બહેનોના નામે ઘર છે. કાયમી ઘર બનાવવા માટે ૧.૫ લાખ રૂપિયા આપવામાં આવશે. બંગાળભાજપ સરકાર પીએમ કિસાન સન્માન નિધિ પણ વધારીને ૯,૦૦૦ રૂપિયા કરશે.
તેમણે વધુમાં કહ્યું, “હું જાણું છું કે બહેનો તેમના વીજળી બિલ વિશે ખૂબ ચિંતિત છે. તમારા વીજળી બિલનેશૂન્ય બનાવવા માટે, મોદી સરકાર દરેક પરિવારને સોલાર પ્લાન્ટ લગાવવા માટે ૮૦,૦૦૦ રૂપિયા આપશે. તમેમોદી પાસેથી બીજી ગેરંટી લખી લો, આયુષ્માન યોજનાના અમલીકરણ અંગેનો ર્નિણય ભાજપ સરકારની પહેલીકેબિનેટ બેઠકમાં લેવામાં આવશે. ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે.”