Last Updated on by Sampurna Samachar
ચોક્કસ સમુદાયના લોકો હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે
કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદે આપી પ્રતિક્રિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની એક ખાનગી કૉલેજમાં લવ જેહાદના કિસ્સા સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે ભાજપના સાંસદ આલોક શર્માએ તાજેતરની ઘટનાઓ પર આકરું નિવેદન આપ્યું છે અને એક ચોક્કસ સમુદાય પર સીધું નિશાન સાધ્યું છે.
ભોપાલના સાંસદ આલોક શર્માએ જણાવ્યું હતું કે ખાનગી કોલેજોમાં, ચોક્કસ સમુદાયના યુવાનો વ્યવસ્થિત રીતે હિન્દુ છોકરીઓને પ્રેમ સંબંધોમાં ફસાવી રહ્યા છે. તેઓ બળાત્કાર કરી રહ્યા છો અને તેમને બ્લેકમેઇલ કરી રહ્યા છે. તેમણે તેને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું અને કહ્યું, “જો કોઈ માણસમાં હિંમત હોય તો તેણે લવ જેહાદ કરવું જોઈએ. હું દાઢી અને ટોપીવાળા લોકોને સીધા કરવા માટે જ જન્મ્યો છું.”
મસૂદે દાઢી અને ટોપી પહેરેલા લોકોને દેશભક્ત ગણાવ્યા
તેમણે દાવો કર્યો હતો કે બ્રાહ્મણ સમુદાયની વિદ્યાર્થિનીઓને ખાસ નિશાન બનાવવામાં આવી રહી છે અને આ ષડયંત્રમાં સામેલ લોકોને કડક સજા આપવામાં આવશે. તેમણે સૂચન કર્યું કે સનાતની મહિલાઓ માટે ગરબા જેવા અલગ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ જેથી લવ જેહાદમાં સામેલ લોકોને પ્રવેશ ન મળે.
સાંસદ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે ૫ જૂને ભોપાલમાં એક મોટો હિન્દુ મેળાવડો યોજાશે, જેમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ભાગ લેશે. તેમણે બધા સનાતની હિન્દુઓને એક થવા અપીલ કરી. જૂના ભોપાલમાં હિન્દુ વસ્તીમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરતા અશોક શર્માએ કહ્યું, “કોહેફિઝામાં આપણે એક સમયે ૮૦ ટકા હતા, હવે ફક્ત ૨૦ ટકા જ બચ્યા છે. ચોક બજારમાં ૪૫ હજાર હિન્દુ હતા, હવે ફક્ત ૩૨૦૦ જ બચ્યા છે. આ ધાર્મિક અસંતુલન ખતરનાક છે.”
કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદે આલોક શર્માના નિવેદનને સસ્તી લોકપ્રિયતા માટે આપવામાં આવેલું નિવેદન ગણાવ્યું અને કહ્યું કે ગુનેગાર ગમે તે ધર્મ કે જાતિનો હોય, તેને બક્ષવામાં ન આવે. આરીફ મસૂદે કહ્યું, “લવ જેહાદ ખોટું છે. તે કોઈની પણ દીકરી છે, તે આપણી પણ દીકરી છે.
આપણી બહેનો અને દીકરીઓની સુરક્ષા અને સન્માન આપણી જવાબદારી છે. તેમની સાથે અન્યાય કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”મસૂદે દાઢી અને ટોપી પહેરેલા લોકોને દેશભક્ત ગણાવ્યા અને કહ્યું, “આ એ જ લોકો છે જેમણે અંગ્રેજો સામે લડીને દેશને આઝાદ કરાવ્યો હતો. આ લોકો દેશના સૌથી મોટા દેશભક્ત છે.”