Last Updated on by Sampurna Samachar
આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું
અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કુદરતનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામીબે દિવસ માટે મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકસર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ અને ૩૦થી ૪૦કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ વરસી શકે છે.

બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું હતું. ભાટિયામાં કમોસમીવરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
તાપમાનમાં પણ ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાવાની સંભાવના
હવામાન નિષ્ણાતોના જણાવ્યાનુસાર, રાજ્યમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદીટ્રફ સક્રિય થવાને કારણે વાતાવરણમાં આ પલટો આવ્યો છે. આ બદલાયેલા માહોલને પગલે આગામી બે દિવસમાં તાપમાનમાં પણ ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર: રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. વડોદરા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, કચ્છ, દમણ અને દાદરાનગર હવેલીમાંકમોસમી વરસાદની સંભાવના છે.
ત્રીજી એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવ પંથકમાં વરસાદી માહોલ રહેશે.
અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે. પવનની ગતિમાં વધારો થવાનીસાથે સાંજના સમયે છૂટાછવાયા ઝાપટાં પડવાની પણ સંભાવના નકારી શકાય તેમ નથી. નોંધનીય છે કે, કમોસમી વરસાદની આ આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમનો તૈયાર પાક સલામત સ્થળેખસેડવા અને માર્કેટિંગ યાર્ડમાં રાખેલો માલ પ્લાસ્ટિકથી ઢાંકીને સુરક્ષિત કરવા અપીલ કરવામાં આવી છે.