Last Updated on by Sampurna Samachar
ચૈત્રી પૂર્ણિમાએ હજારો ભક્તોએ કર્યા મા અંબાના મંદિરના દર્શન
ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર અવસરે સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી જ જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મા અંબાના દર્શન કરવા માટે દૂર–દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ચારેતરફ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

મંદિરના દ્વાર ખુલતાંની સાથે જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તોમાંઅનોખો ઉત્સાહ અને આધ્યાત્મિક શાંતિનો અહેસાસ જોવા મળી રહ્યો છે.
મોટી સંખ્યામાં લોકો લીધો લાભ
ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈપણ અઘટિતઘટના ન બને તે માટે સમગ્ર મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા દ્વારા ભીડ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
દર્શનાર્થે આવતા ભક્તો માટેભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લીધો લાભ.હિન્દુ ધર્મમાં ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, આ દિવસે શક્તિપીઠ અને માતાજીના મંદિરે દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ખેડબ્રહ્માનું આ મંદિર પૌરાણિક મહત્ત્વ ધરાવતું હોવાથી અહીં દર વર્ષે પૂનમના દિવસે મેળા જેવો માહોલ સર્જાય છે.