Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્ર સરકારમાં નવાજુનીના એંધાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી પરિણામો પછી મહારાષ્ટ્રનું રાજકીય તાપમાન ઊંચુ છે. હજુ સુધી, જ્યારે મહાયુતિએ CM ના નામ પર કોઈ ર્નિણય લીધો નથી, તો બીજી તરફ, મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષ NCP-SP ના નેતા જિતેન્દ્ર આવ્હાડે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી છે. શરદ પવાર જૂથના નેતા વર્ષા બંગલે પહોંચ્યા અને કાર્યકારી CM શિંદેને મળ્યા. શિંદે સાતારા ગયા તે પહેલાં શરદ જૂથના નેતાઓ મળ્યા. એકનાથ શિંદે સતારા જિલ્લામાં સ્થિત તેમના ગામમાં બે દિવસ રોકાશે. આવી સ્થિતિમાં ૨૯ અને ૩૦ નવેમ્બરે મુંબઈમાં મહાયુતિની બેઠક યોજાય તેવી કોઈ શક્યતા નથી. આ બેઠક માટે ભાજપના નિરીક્ષકો મુંબઈમાં રહેશે.
શિંદેની સતારાની મુલાકાત અંગે શિવસેનાના ધારાસભ્ય ઉદય સામંતે કહ્યું કે કોઈ નારાજગી નથી. એકનાથ શિંદેની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ તેમના ઘરે ગયા છે. સારા સ્વાસ્થ્ય માટે ગયા છે. આદરપૂર્વક બેઠક યોજાઈ હતી. ૬૦ ધારાસભ્યોએ મળીને શિંદેજીને આ સંદેશ આપ્યો છે કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ ડેપ્યુટી CM બને. એકનાથ શિંદે પોતે આનો ર્નિણય કરશે.
ઉદય સામંતે કહ્યું કે તેમના માટે સરકારમાં રહેવું જરૂરી છે. તેઓ લાડકી બહેના યોજના લાવ્યા છે, તેથી તેમના માટે સરકારમાં રહેવું જરૂરી છે.
ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારની બેઠક થશે જેમાં કેબિનેટ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે એકનાથ શિંદે સરકારનો હિસ્સો બને. આપને જણાવી દઈએ કે દિલ્હીમાં મહાયુતિના ત્રણ નેતાઓ એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મુંબઈમાં બેઠક યોજાશે. આ પછી CM પદને લઈને જાહેરાત કરવામાં આવશે.
ત્યારે કોંગ્રેસે ચૂંટણી આયોગને પત્ર લખીને તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતદાન અને ગણતરી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓનો આરોપ મૂક્યો છે. કોંગ્રેસે આ મુદ્દા પર વ્યક્તિગત સુનાવણીની માંગ કરી છે. કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે મતદાર સૂચિઓમાંથી “મનફીત રીતે મતદારોને કાઢી નાખવામાં આવ્યા અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં ૧૦,૦૦૦ કરતાં વધુ મતદારો ઉમેરવામાં આવ્યા.” પાર્ટીએ એ પણ કહ્યું કે “મહારાષ્ટ્રના મતદાર ડેટા પર એક પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્તે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે.”