સુપ્રીમ કોર્ટે રણવીરને ધરપકડમાંથી રાહત આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકપ્રિય યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા વિવાદોમાં ફસાયેલા છે. સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં જવું અને અભદ્ર મજાક કરવી તેના માટે ભારે પડી રહ્યુ છે. મામલો એટલો વધી ગયો કે ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જ્યાં આની વિરુદ્ધ યુટ્યુબરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી યોજાઈ હતી.
સુપ્રીમ કોર્ટે રણવીરને ધરપકડમાંથી રાહત આપી છે. પરંતુ તેની સાથે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટે રણવીરને તેના માતાપિતા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવા બદલ ઘણો ઠપકો આપ્યો હતો. તેમના શબ્દોને અશ્લીલ અને વાંધાજનક ગણાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે રણવીરની અરજી પર નોટિસ જારી કરી છે. જ્યારે પણ રણવીરને પૂછપરછ માટે બોલાવવામાં આવશે, ત્યારે તેણે તપાસમાં જોડાવું પડશે.
જેમાં હવેથી રણવીર વિરુદ્ધ સમાન આરોપોમાં કોઈ નવી ફરિયાદ દાખલ કરવામાં આવશે નહીં. જયપુરમાં નોંધાયેલી ફરિયાદમાં રણવીરને ધરપકડથી પણ રાહત મળી છે. રણવીરે પોતાનો પાસપોર્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો પડશે. કોર્ટની પરવાનગી વિના તે દેશની બહાર જઈ શકશે નહીં.
રણવીર અને તેના સાથીઓ આગામી આદેશ સુધી ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ શોમાં ભાગ લેશે નહીં. સુપ્રીમ કોર્ટે યુટ્યુબરને અભદ્ર ટિપ્પણીઓ બદલ ફટકાર લગાવી. કોર્ટે કહ્યું છે કે તેમનું મન ગંદકીથી ભરેલું છે. તે તેના માતાપિતાનું અપમાન કરી રહ્યા છે.
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, શું તમે કલાના નામે લાઇસન્સ મેળવ્યું છે ? તેમની ભાષા અપમાનજનક અને વાંધાજનક હતી. વકીલ ચંદ્રચુડે કહ્યું કે એક જ ટિપ્પણી માટે અલગ અલગ ફરિયાદ દાખલ કરવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે.
જસ્ટિસ સૂર્યકાંત કે કહ્યુ કે જ્યાં સુધી રણવીરને મળી રહેલી ધમકીઓનો સવાલ છે, કાયદો તેનું કામ કરશે. રાજ્ય સરકાર તેમની સામે કાર્યવાહી કરશે. તમે જે શબ્દો પસંદ કર્યા છે તેનાથી માતાપિતાને અને બહેનોને શરમ આવશે. આખો સમાજ શરમાશે. આ એક વિકૃત માનસિકતા છે.
જ્યાં રણવીરના વકીલે જણાવ્યું કે તેની માતા ડોક્ટર છે. લોકો ક્લિનિકમાં પહોંચીને દુર્વ્યવહાર કરી રહ્યા છે. કોર્ટે તેને શરમજનક ગણાવ્યું. તેમજ જસ્ટિસ એમ કોટેશ્વર સિંહે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે જો પોલીસ તેમને પૂછપરછ માટે બોલાવે છે, તો તેઓ જરૂરી સુરક્ષા પૂરી પાડશે.
રણવીર સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં ગેસ્ટ જજ તરીકે દેખાયો હતો. તેમણે એક સ્પર્ધકને માતા-પિતાની ઈન્ટિમેસી સંબંધિત પ્રશ્ન પૂછ્યો હતો. રણવીરની અભદ્ર ટિપ્પણીની ક્લિપ વાયરલ થતાં જ તેને ટ્રોલ કરવામાં આવ્યો. આ મામલે તેમણે બે વાર માફી માંગી છે. પરંતુ લોકોનો ગુસ્સો હજુ ઓછો થયો નથી.