Last Updated on by Sampurna Samachar
ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી પહેલા જ દિવાળી
GST ઘટાડાનો લાભ પણ દેશવાસીઓને મળ્યો લાભ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવરાત્રિના પ્રારંભ સાથે લોકોને GST ના ઘટાડાના અમલીકરણથી લોકોમાં રાહત થઈ છે. ખાસ કરીને ઓટો મોબાઈલમાં GST ઘટાડો થતા દિવાળી પહેલા દિવાળીનો માહોલ ઓટો ડીલરને ત્યાં જોવા મળ્યો. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ખરીદી કરવા ગ્રાહકોનો ધસારો વધ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે અમદાવાદ શહેરમાં ૮૦૦ થી વધુ ફોરવ્હીલર અને ૨૦૦૦થી વધારે ટુ વ્હીલરનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્ર સરકારની GST ઘટાડાની ભેટ ઓટો ઇન્ડસ્ટ્રીમાં નવું આશાનું કિરણ લઈને આવી છે. મા અંબેની આરાધનાનું પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે GST ઘટાડાનો લાભ પણ દેશવાસીઓને મળ્યો તેની સીધી અસર ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી હતી. સવારથી જ શહેરના વિવિધ શો રૂમમાં પોતાનું નવું વ્હીકલ ખરીદવા માટે ધસારો વધ્યો છે.
અંદાજિત ૨૫૦૦ અને ૮૦૦૦ થી પણ વધારે ટુ-વ્હીલરનું વેચાણ
સરકારે જે રીતે GST માં ઘટાડો કર્યો છે તેનાથી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી પહેલા જ દિવાળી આવી છે. ટુ વ્હીલરમાં ૮૦૦૦ રૂપિયાથી લઈને ૧૫ , ૦૦૦ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે તો બીજી તરફ ફોર વ્હીલરમાં પણ ૫૫ હજાર રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધીનો ફાયદો ગ્રાહકોને મળશે. GST ભાવ ઘટાડાને લઈને નવરાત્રિના પ્રથમ દિવસે અમદાવાદ શહેરમાં ૮૦૦થી વધુ ફોરવીલર અને ૨૦૦૦થી વધારે ટુ વ્હીલરનું વેચાણ થયું છે.
જ્યારે સમગ્ર રાજ્યમાં અંદાજિત ૨૫૦૦ અને ૮૦૦૦ થી પણ વધારે ટુ-વ્હીલરનું વેચાણ થયું છે તો આગામી ૧૦ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ૪૦૦૦ કાર અને ૧૫,૦૦૦થી વધુ ટુવિલર જ્યારે રાજ્યભરમાં ૨૫,૦૦૦થી વધુ કાર અને એક લાખથી પણ વધારે ટુવિલર્સનું વેચાણ થવાનું અંદાજ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, GST ના નવા સ્લેબના અમલીકરણને પગલે નવરાત્રી દરમિયાન વાહનોના વેચાણમાં ૩૦ ટકાનો ઉછાળો આવવાની સંભાવના ઓટો મોબાઈલ ડીલરોએ કરી છે.