બાંગ્લાદેશમાં ઉગ્ર આંદોલનને લઇ વિદેશ મંત્રાલયે શુ કહ્યું …

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતે લઘુમતીઓ પર થઈ રહેલી હુમલા મામલે ચિંતા વ્યક્ત કરી

બાંગ્લાદેશી મીડિયા જુઠાણું ફેલાવી રહ્યું છે : ભારત

(સંપૂર્ણ સમાચાર સેવા)

બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધમાં આંદોલન કરીને મુખ્ય ચહેરો બનેલા ઉસ્માન હાદીનું મોત થયું હતું, ત્યારથી જ બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા થઈ રહી છે, એટલું જ નહીં ટોળાએ એક હિન્દુ યુવકને માર મારી, તેને ઝાડ પર લટકાવીને સળગાવી નાખ્યો હતો. આ તમામ ઘટના ક્રમ વચ્ચે ભારત સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન સામે દેખાવો થયા હોવાની માહિતી સામે આવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશી મીડિયા દ્વારા ભ્રામક પ્રચાર ફેલાવવાનો આરોપ લગાવીને કહ્યું છે કે, નવી દિલ્હીમાં આવેલા બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર કોઈપણ સંકટ ઉભું થયું નથી. બીજી તરફ બાંગ્લાદેશમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારત સરકારે દિલ્હી સ્થિત બાંગ્લાદેશી એમ્બેસી બહાર સુરક્ષા બંદોબસ્ત તહેનાત કરી દીધો છે.

વિદેશ મંત્રીલયની બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર

મીડિયાના સવાલોનો જવાબ આપતા જયસ્વાલે કહ્યું કે, ‘ ૨૦ થી ૨૫ યુવકોનું નાનકડું ટોળું બાંગ્લાદેશ હાઈ કમિશન સામે એકત્ર થયું હતું. આ લોકો બાંગ્લાદેશના મયમનસિંહમાં હિન્દુ યુવક દીપૂ ચંદ્ર દાસની કરપીણ હત્યાના વિરોધમાં સૂત્રોચ્ચાર અને તેઓ બાંગ્લાદેશમાં લઘુમતી લોકોની સુરક્ષા કરવાની માંગ કરી રહ્યા હતા.’

રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘એકત્ર થયેલા યુવકોએ કોઈ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો નથી અને કોઈ સુરક્ષા સંકટ પણ ઉભુ થયું નથી. સ્થળ પર તહેનાત પોલીસ ટીમે થોડી જ મિનિટોમાં તેઓને ત્યાંથી હટાવી દીધા હતા. આ ઘટનાના વીડિયો જાહેરમાં ઉપલબ્ધ છે. બાંગ્લાદેશની કેટલીક મીડિયા સંસ્થાઓ આ ઘટનાને વધારે પડતું અને ખોટી રીતે રજૂ કરી રહી છે.’

વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું કે, ‘આપણા દેશમાં આવેલા તમામ વિદેશી મિશન અને રાજદ્વારી પ્રતિષ્ઠાનોની સુરક્ષા વિયેના કન્વેન્શન હેઠળ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમે બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ભારતીય અધિકારીઓ બાંગ્લાદેશી તંત્રના સંપર્કમાં છે. ભારતે લઘુમતીઓ પર થઈ રહેલી હુમલા મામલે ચિંતા વ્યક્ત કરી છે. દીપૂ ચંદ્ર દાસા હત્યારાઓને વહેલામાં વહેલી તકે જેલમાં ધકેલવામાં આવશે.’

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.