અમારી પાસે ભારતીય નાગરિકતા છે તો પાકિસ્તાન કેમ જવુ ?

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સુપ્રીમ કોર્ટે દસ્તાવેજોની તપાસ અંગે કર્યો નિર્દેશ

જો આદેશથી સંતોષ ન હોય તો જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં અરજી કરવા કહ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

બેંગલુરુના એક વ્યક્તિએ કરેલ અરજી પર સુપ્રીમ કોર્ટે  (SUPREME COURT) સુનાવણી કરી છે. જેમાં અરજદારે પોતાને અને પરિવારને પાકિસ્તાન મોકલવા પર પ્રતિબંધ કરવાની માંગણી કરી હતી. જે બદલ કોર્ટે અરજદાર અને પરિવારના દસ્તાવેજોની તપાસ કરવા નિર્દેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ બધા સભ્યો દાવો કરે છે કે તેઓ ભારતીય નાગરિક છે અને તેમની પાસે ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ છે. વકીલ અને અરજદારની દલીલો સાંભળ્યા પછી, ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સરકારી અધિકારીઓને પરિવારના સભ્યોના ભારતીય નાગરિકત્વની માન્યતા અંગેના દસ્તાવેજોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

વર્ષ ૧૯૮૭ માં આવ્યો હતો ભારત

કોર્ટે નિર્દેશ આપ્યો કે સરકારી અધિકારીઓ દ્વારા યોગ્ય ર્નિણય ન લેવાય ત્યાં સુધી પરિવાર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. બેન્ચે અરજદારોને સરકારના ર્નિણયથી અસંતુષ્ટ હોય તો જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટમાં અરજી કરવાની સ્વતંત્રતા પણ આપી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે હાલની અરજીમાં અરજદારો ૨ અને ૩ પતિ-પત્ની છે. અરજદારો ૧, ૪, ૫ અને ૬ તેમના બાળકો છે. તે હાલમાં શ્રીનગરનો રહેવાસી છે. સરકારી સૂચનાઓ મુજબ, જે લોકો સુરક્ષિત છે તે સિવાયના વિઝા રદ કરવામાં આવ્યા છે, તેથી અરજદારોને દેશનિકાલ કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. કેટલાક લોકોને દેશનિકાલ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

અરજદારો તેમના પક્ષમાં જારી કરાયેલા સત્તાવાર દસ્તાવેજોનો હવાલો આપીને દાવો કરી રહ્યા છે કે તેઓ ભારતીય નાગરિક છે. હકીકતલક્ષી રજૂઆતોને ચકાસણીની જરૂર હોવાથી, અમે અરજીના ગુણદોષ વિશે કંઈપણ કહ્યા વિના અરજીનો નિકાલ કરીએ છીએ અને અધિકારીઓને આ દસ્તાવેજો અને તેમના ધ્યાન પર લાવી શકાય તેવી અન્ય કોઈપણ હકીકતોની ચકાસણી કરવા નિર્દેશ આપીએ છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે શક્ય તેટલી વહેલી તકે ર્નિણય લેવો જોઈએ. અમે કોઈ સમયમર્યાદા નક્કી કરી રહ્યા નથી. આ કેસના ચોક્કસ તથ્યોને ધ્યાનમાં રાખીને યોગ્ય ર્નિણય લેવામાં ન આવે ત્યાં સુધી અધિકારીઓએ અરજદારો સામે કોઈ કડક પગલાં લેવા જોઈએ નહીં. જો અરજદાર અંતિમ ર્નિણયથી અસંતુષ્ટ હોય, તો તે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી શકે છે. આ આદેશને પૂર્વવર્તી ગણવામાં આવશે નહીં કારણ કે તે આ કેસના ચોક્કસ તથ્યો અને સંજોગો પર આધારિત છે.

એડવોકેટ નંદ કિશોરે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે ૬ અરજદારો છે. પહેલો વ્યક્તિ બેંગલુરુમાં કામ કરે છે, બાકીનો પરિવાર શ્રીનગરમાં છે. આપણા બધા પાસે માન્ય પાસપોર્ટ, આધાર, મતદાર ઓળખ કાર્ડ, પાન કાર્ડ છે. જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે અરજદાર ભારત કેવી રીતે આવ્યો, વકીલે કહ્યું કે તે ૧૯૮૭માં આવ્યો હતો.

અરજદારે કોર્ટને જણાવ્યું કે મારા પિતા પાકિસ્તાની પાસપોર્ટ પર આવ્યા હતા. તેમનો જન્મ મુઝફ્ફરાબાદમાં થયો હતો. વિઝા બીજી બાજુથી આપવામાં આવ્યો હતો. તેમણે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટમાં પોતાનો પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. જસ્ટિસ કાંતે કહ્યું કે તમે હાઈકોર્ટ કેમ ન ગયા, તે એકમાત્ર ઓથોરિટી છે જે સાચી હકીકતો શોધી શકે છે. બધા મુદ્દાઓ ત્યાં જ ઉદ્ભવે છે.

હાઈકોર્ટે પણ કેટલાક લોકોને રાહત આપી છે. તમે હાઈકોર્ટમાં કેમ નથી જતા? એસજી તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે અધિકારીઓનો સંપર્ક કરવો એ શ્રેષ્ઠ રસ્તો રહેશે. પરંતુ સમગ્ર પરિવારની ધરપકડ કરવામાં આવી છે, એમ અરજદારના વકીલે જણાવ્યું હતું.

એસજીએ કહ્યું કે આ પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચનો ર્નિણય છે. એકવાર વિઝા સમાપ્ત થઈ જાય, પછી તમે રહી શકતા નથી. વકીલે કહ્યું પણ મારો અસીલ ભારતીય નાગરિક છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માનવીય પાસા ઉપરાંત, કેટલાક મુદ્દાઓ છે જેની પુષ્ટિ કરવાની જરૂર છે. પુષ્ટિ ન થાય ત્યાં સુધી કોઈ કડક કાર્યવાહી ન કરવી જોઈએ.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.