Last Updated on by Sampurna Samachar
સુનીલ ગાવસ્કરનું ચોંકાવનારું નિવેદન
T૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિરાટ કોહલી અને રોહિત શર્મા છેલ્લી વખત ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારત માટે ટેસ્ટ રમતા જોવા મળ્યા હોત, પરંતુ શ્રેણી શરૂ થાય તે પહેલાં જ તેમના ટેસ્ટ ફોર્મેટ છોડવાના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેમણે T૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. તેથી તેઓ ફક્ત વનડેમાં જ ભારત માટે રમતા જોવા મળશે.
વિરાટ કોહલીએ ૨૦૨૭ ના વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રોહિત ૫૦ ઓવરના વર્લ્ડ કપને પણ ઘણું મહત્વ આપે છે, પરંતુ સુનીલ ગાવસ્કરને નથી લાગતું કે રોહિત અને વિરાટનું ૨૦૨૭ ના વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન પૂરું થશે.
પસંદગીકારો એ નક્કી કરશે
એક ઈન્ટરવ્યુમાં ગાવસ્કરે કહ્યું કે ૨૦૨૭ વર્લ્ડ કપમાં તેમનું રમવું કે નહીં તે પસંદગીકારોના મંતવ્ય પર ર્નિભર રહેશે. પસંદગીકારો જોશે કે તેઓ કેવું પ્રદર્શન કરે છે. ગાવસ્કરે કહ્યું- તેમણે આ ફોર્મેટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.
પરંતુ પસંદગીકારો ૨૦૨૭ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખશે. તેઓ જોશે કે શું તેઓ ૨૦૨૭ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવી શકશે ? શું તેઓ પહેલાની જેમ યોગદાન આપી શકશે? પસંદગીકારો આને ધ્યાનમાં રાખીને ર્નિણય લેશે. જો પસંદગીકારોને લાગે કે હા, તેઓ બંને રમી શકે છે.
જ્યારે ગાવસ્કરને તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેમને નથી લાગતું કે વિરાટ કે રોહિત ૨૦૨૭ વર્લ્ડ કપમાં ભારતીય ODI ટીમમાં હશે. ગાવસ્કરે ભારપૂર્વક કહ્યું કે ના, મને નથી લાગતું કે તેઓ રમશે. હું સાચું કહું છું. પણ, કોણ જાણે, આગામી એક કે બે વર્ષમાં જો તેઓ ખૂબ સારું પ્રદર્શન કરે અને સતત સદીઓ ફટકારે તો ભગવાન પણ તેમને દૂર નહીં કરી શકે.
વિરાટ અને રોહિતે ટેસ્ટ અને T૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે તે ફક્ત વનડેમાં જ રમતા જોવા મળશે. વિરાટ ૨૦૨૭ નો વર્લ્ડ કપ રમવા માંગે છે. રોહિત પણ ૫૦ ઓવરના વર્લ્ડ કપને ઘણું મહત્વ આપે છે. પરંતુ ગાવસ્કરને લાગે છે કે ૨૦૨૭ના વર્લ્ડ કપમાં રમવાનું આ બંનેનું સ્વપ્ન કદાચ પૂરું નહીં થાય. ગાવસ્કરે કહ્યું કે પસંદગીકારો જોશે કે તે ૨૦૨૭ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવી શકશે કે નહીં. તે તો આવનાર સમય જ બતાવશે.