Last Updated on by Sampurna Samachar
હનુમાનગઢી મંદિરની લીધી મુલાકાત
મંદિરના પુજારીએ વિરાટને માળા પહેરાવી આશીર્વાદ મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા અયોધ્યા રામલ્લાના દર્શને પહોંચ્યા હતો. જ્યાં પ્રથમવાર બંનેએ રામ નગરીની એકસાથે મુલાકાત લીધી હતી. વિરાટ અને અનુષ્કા સવારે રામલલ્લા (RAMLLA) ના મંદિર પહોંચ્યા અને દર્શન કર્યા હતા. તેઓ લગભગ અડધો કલાક મંદિર પરિસરમાં રહ્યા અને રામ દરબારની મુલાકાત લીધી હતી.
રામલલ્લાના દર્શન કર્યા બાદ હનુમાનગઢી મંદિર પહોંચ્યા હતા અને હનુમાનજીના દર્શન કર્યા હતા. વિરાટ કોહલીએ સવા કિલો લાડુ અને ફૂલોનો હાર અર્પણ કર્યો. મંદિરના પુજારીએ વિરાટને માળા પહેરાવી અને આશીર્વાદ આપ્યા હતા. અનુષ્કાને પણ માળા પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા. ત્યાં હાજર મહંતે બંનેને શાલ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.
ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ
આ સમગ્ર સફર દરમિયાન વિરાટ અને અનુષ્કાએ મીડિયાથી અંતર જાળવી રાખ્યું અને દર્શન અને પૂજામાં સંપૂર્ણપણે મગ્ન રહ્યા. દર્શન કર્યા પછી, બંને લખનૌ જવા રવાના થયા. હાલમાં વિરાટ IPL માં રમી રહ્યો છે અને તેની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે અને હવે તેની નજર RCB ફાઇનલમાં પહોંચે અને તેનું પહેલું ટાઇટલ જીતે તેના પર છે.