Last Updated on by Sampurna Samachar
આ દંપતિ લોકોને લાલચ આપી ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહેતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં ગરીબ દલિતોને લલચાવીને ધર્મ પરિવર્તન કરાવવા બદલ SC – ST કોર્ટના સ્પેશિયલ જજ રામ વિલાસ સિંહે એક ખ્રિસ્તી દંપતીને ૫ વર્ષની જેલની સજા ફટકારી છે અને દરેકને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ખ્રિસ્તી ધર્માંતરણ કેસમાં ઉત્તર પ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ આ પહેલી સજા છે.

મળતી માહિતી મુજબ, ૧૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ જલાલપુરના જમૌલીના રહેવાસી ભાજપ નેતા ચંદ્રિકા પ્રસાદ દ્વારા કેરળથી આવેલા અને મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના પિપરિયા બેંક કોલોનીમાં રહેતા જોસ પાપાચન અને તેની પત્ની શીજા એએમએન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
પોતાની ફરિયાદમાં, ચંદ્રિકાએ કહ્યું હતું કે જોસ અને શીજાએ ૨૦૨૨ માં શાહપુર ફિરોઝ ગામમાં દલિત વસાહતની ત્રણ મહિના માટે મુલાકાત લીધી હતી અને ત્યાંના ગરીબ પરિવારોને નિશાન બનાવ્યા હતા અને છેતર્યા હતા. આ પછી, ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ, બંને પતિ-પત્નીએ દલિતોને મોટી સંખ્યામાં ભેગા કરીને ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો.
ચંદ્રિકાની ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન, તેમની પાસેથી ખ્રિસ્તી સામગ્રી મળી આવી હતી. તેમની વિરુદ્ધ પુરાવા એકત્રિત કરતી વખતે, એ પણ બહાર આવ્યું કે આ લોકો દલિત વસાહતોમાં જતા હતા અને દલિત સમુદાયના લોકોને બાઇબલ ભણાવતા હતા, તેમને ઈસુ ખ્રિસ્ત વિશે કહેતા હતા અને પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં જોડાવાની લાલચ આપતા હતા. તેમને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત કર્યા પછી, પોતાનું પુસ્તક આપતા હતા. એટલું જ નહીં, આ લોકો જાહેર સભાઓનું આયોજન કરીને લોકોને છેતરતા પણ હતા.
બધા પુરાવા જોયા પછી, કોર્ટે સ્વીકાર્યું કે બંનેએ દલિત સમુદાયના લોકોને લલચાવ્યા હતા અને તેમને બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરિત કરતા હતા. ઉપરાંત, તેમને ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ પછી, તેમણે દંપતીને દલિતોનું ધર્માંતરણ કરાવવાના દોષી ઠેરવ્યા અને ધર્માંતરણ પ્રતિબંધ કાયદા હેઠળ દંડ અને કેદની સજા ફટકારી. શીજાને ૧૮ જાન્યુઆરીએ અને જાેસને ૨૨ જાન્યુઆરીએ જેલમાં મોકલવામાં આવ્યા હતા.