કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કંપનીઓને તેમના પ્લાનમાં ૩૦-દિવસની વેલિડિટી વિકલ્પ ઓફર કરવાની જરૂર

રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ભારતમાં મોબાઇલ રિચાર્જ પ્લાન પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા હવે સરકારી સ્તરે પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર ટેલિકોમ કંપનીઓને ૩૦-દિવસની વેલિડિટીવાળા પ્લાન વધુ સ્પષ્ટ રીતે ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ૨૮-દિવસના પ્લાનમાં સમસ્યા અનુભવી રહેલા વપરાશકર્તાઓ તરફથી વધતી ફરિયાદોને પગલે આ પગલું લેવામાં આવી રહ્યું છે.

રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં રાજ્યસભામાં આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પ્લાન હેઠળ, જો વપરાશકર્તાઓને પૂરા પાડવામાં આવતા દૈનિક ડેટાનો સંપૂર્ણ ઉપયોગ ન થાય તો તે દિવસના અંતે સમાપ્ત થઈ જાય છે.

ડિએક્ટિવેશન માટે લાંબા ગ્રેસ પીરિયડની પણ હિમાયત કરી

તેમના મતે, જો કોઈ 2 GB ડેટા મેળવે છે અને ફક્ત 1.5 GB નો ઉપયોગ કરે છે તો બાકીનો ડેટા કોઈપણ રિફંડ અથવા રોલઓવર વગર સમાપ્ત થઈ જાય છે. તેમણે માંગણી કરી હતી કે વપરાશકર્તાઓને બાકીના ડેટાનો ઉપયોગ બીજા દિવસે અથવા આગામી સાઈકલમાં કરવાનો વિકલ્પ આપવો જોઈએ.

રાઘવ ચઢ્ઢાએ ૨૮-દિવસના રિચાર્જ પ્લાનને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમનો દલીલ છે કે આનાથી વપરાશકર્તાઓને આખા વર્ષ દરમિયાન વધુ વારંવાર રિચાર્જ કરવાની ફરજ પડે છે, જેનાથી તેમના ખર્ચમાં વધારો થાય છે. તેમણે એમ પણ કહ્યું કે રિચાર્જ સમાપ્ત થયા પછી ઓછામાં ઓછા એક વર્ષ સુધી જીસ્જી અને ઇનકમિંગ કોલ્સ જેવી મૂળભૂત સેવાઓ ઉપલબ્ધ રહેવી જોઈએ. તેમણે ડિએક્ટિવેશન માટે લાંબા ગ્રેસ પીરિયડની પણ હિમાયત કરી.

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મુદ્દાને સંબોધિત કર્યો છે અને ટેલિકોમ કંપનીઓને ૩૦-દિવસના પ્લાનને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પહેલાથી જ એક નિયમ સ્થાપિત કર્યો છે જેમાં કંપનીઓને તેમના પ્લાનમાં ૩૦-દિવસની વેલિડિટી વિકલ્પ ઓફર કરવાની જરૂર છે. જાે કે, કંપનીઓને પોતાના હિસાબથી કિંમત અને અન્ય શરતો નક્કી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

જાે આ સરકારી પહેલ આગળ વધે છે, તો વપરાશકર્તાઓ ટૂંક સમયમાં વધુ પારદર્શક અને અનુકૂળ રિચાર્જ પ્લાન મળી શકશે. ૩૦ દિવસની વેલિડિટી ધરાવતો પ્લાન લોકોને દર મહિને એક જ તારીખે રિચાર્જ કરવાની મંજૂરી આપશે અને વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ઘટાડશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.