Last Updated on by Sampurna Samachar
આસારામના પુત્ર નારાયણ સાંઈના થયા છૂટાછેડા
ઈન્દોરની ફેમિલી કોર્ટે બંનેના લગ્નને સત્તાવાર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો : આઠ વર્ષથી ચાલતા કેસનોઅંત
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના ઈન્દોરની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં હાઈ–પ્રોફાઇલ લગ્ન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યોછે. કોર્ટે સ્વંયભૂ ધર્મગુરૂ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી હરપાલાની વચ્ચે લગભગઆઠ વર્ષથી ચાલી રહેલા કાયદાકીય વિવાદને સમાપ્ત કરતા તેના લગ્નને સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરીદીધા છે.

આ ર્નિણય ન માત્ર બંને પક્ષો માટે વ્યક્તિગત મહત્વ રાખે છે, પરંતુ તેમાં નક્કી કરવામાં આવેલી એલીમનીએટલે કે ભરણપોષણ રકમે પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
નારાયણસાંઈ પર ગંભીર આરોપ લગાવ્યા
કોર્ટે પોતાના આદેશમાં નારાયણ સાંઈને નિર્દેશ આપ્યો કે તે પોતાની પત્નીને સ્થાયી ભરણપોષણના રૂપમાં ૨કરોડ રૂપિયાની એક સાછે ચુકવણી કરે. નોંધનીય છે કે નારાયણ સાંઈ વર્તમાનમાં સુરતની જેલમાં બંધ છે, જ્યાંતે દુષ્કર્મના એક ગંભીર મામલામાં આજીવન કેદની સજામાં બંધ છે. જેલમાં હોવા છતાં તેને કાયદાકીય રીતે પોતાની પત્નીને ભરણપોષણ આપવા માટે જવાબદાર માનવામાં આવ્યો છે.
આ કોઈ મામલો નવો નથી. જાનકી અને નારાયણ સાંઈ વચ્ચે આ વિવાદ છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યોછે. લાંબી કાયદાકીય કાર્યવાહી, સાક્ષીઓના નિવેદન અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આમહિનાની શરૂઆતમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. જાનકીના વકીલ અનુરાગ ગોયક અનુસારબધા કાયદાકીય પાસાના અભ્યાસ બાદ કોર્ટેનો તે નિષ્કર્ણ હતો કે હવે આ લગ્નને જારી રાખવાનું કોઈ મહત્વરહી ગયું નથી.
અરજીમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર નારાયણ સાંઈ અને જાનકીના લગ્ન વર્ષ ૨૦૦૮મા થયા હતા. પરંતુ આ લગ્ન સંબંધ વધુ સમય સુધી સુખદ રહ્યો નહીં. વર્ષ ૨૦૧૩મા જ્યારે નારાયણ સાંઈ સામે ગુના નોંધાયાઅને તેની ધરપકડ થઈ, ત્યારથી બંને અલગ–અલગ રહે છે. જાનકીએ કોર્ટમાં પોતાની વ્યથા જણાવતા નારાયણસાંઈ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.