બે AK-47 રાઈફલ અને અંદાજે ૩૫૦ કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ

જમ્મુ અને કાશ્મીર પોલીસે કાર્યવાહી કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)

હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં એક મેડિકલ કોલેજમાંથી બે AK-47 રાઈફલ અને અંદાજે ૩૫૦ કિલોગ્રામ વિસ્ફોટકો મળી આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મેડિકલ કોલેજ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય એક ડોક્ટર દ્ધારા આપવામાં આવેલી માહિતીના આધારે જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં કાર્યવાહી કરી હતી. અગાઉ, અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજમાં ડૉ. આદિલના લોકરમાંથી એક AK-47 રાઈફલ મળી આવી હતી. આદિલની ધરપકડ બાદ બીજા એક ડોક્ટરની પણ અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ તપાસ ડૉ. આદિલથી શરૂ થઈ હતી, જે થોડા દિવસો પહેલા શ્રીનગરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પોસ્ટર લગાવવાના આરોપમાં સહારનપુર (ઉત્તર પ્રદેશ) માં ધરપકડ કરાયેલા ડૉક્ટર હતા. ડૉ. આદિલ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કામ કરતા હતા. તેમની ધરપકડ બાદ પોલીસે તેમના જૂના લોકરની તપાસ કરી અને એક AK-47 રાઈફલ મળી આવી.

અત્યાર સુધીમાં ત્રણ ડોક્ટરોની ધરપકડ

ડો. આદિલની ધરપકડ બાદ પોલીસે અનંતનાગથી બીજા ડોક્ટરની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આ ડોક્ટરે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી, જેના કારણે પોલીસ ટીમ હરિયાણાના ફરીદાબાદ ગઈ હતી. ત્યાં બીજા ડોક્ટરના ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા બાદ બે AK-47 રાઈફલ અને મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણ ડોક્ટર સતત સંપર્કમાં હતા અને તેમના તાર દક્ષિણ કાશ્મીરના કેટલાક વિસ્તારોથી હરિયાણા સુધી ફેલાયેલા હતા.

જમ્મુ અને કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે આ કેસ હવે ફક્ત પોસ્ટરો અથવા વ્યક્તિગત સંડોવણી કરતાં ઘણો વ્યાપક છે. પ્રારંભિક તપાસમાં એક સંગઠિત નેટવર્કનો ખુલાસો થયો છે જે તબીબી સંસ્થાઓના આડમાં આતંકવાદીઓને મદદ કરી રહ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર કલાકમાં આ કેસમાં મોટી સફળતા મળશે. પ્રારંભિક અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં ત્રણ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે અને ઘણા વધુ નામોની તપાસ ચાલી રહી છે.

છેલ્લા ત્રણ દિવસથી, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતત દરોડા પાડી રહી છે. અહેવાલ મુજબ આશરે ૫૦૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને ૩૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અથવા અટકાયત કરવામાં આવી છે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તે બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ફરીદાબાદમાં વિસ્ફોટકો મળ્યા બાદ સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. દ્ગૈંછ અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. ફોરેન્સિક ટીમોએ જપ્ત કરેલા શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે અને હાલમાં તેમની તપાસ કરી રહી છે.

આ સમગ્ર કેસથી તબીબી સમુદાયમાં પણ ખળભળાટ મચી ગયો છે. આવા આતંકવાદી કાવતરામાં શિક્ષિત અને જવાબદાર ડોકટરો કેવી રીતે સામેલ થઈ શકે છે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું આ વ્યક્તિઓ કોઈ આતંકવાદી સંગઠન પાસેથી ભંડોળ કે સમર્થન મેળવી રહ્યા હતા કે દબાણ હેઠળ કામ કરી રહ્યા હતા.

જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ અંગે તપાસ ચાલુ છે અને આ સમગ્ર કાવતરા પાછળનો “માસ્ટરમાઇન્ડ” ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અધિકારીઓના મતે, આ ફક્ત જમ્મુ અને કાશ્મીર જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેલાયેલા નેટવર્કનો ભાગ હોઈ શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.