Last Updated on by Sampurna Samachar
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં કરી છે કામગીરી
મુંબઇમાં માનસિક તણાવમાં હોવાની પ્રાથમિક માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટેલિવિઝન જગતમાંથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ટીવી અભિનેતા લલિત મનચંદાએ આત્મહત્યા કરી લીધી છે. ૨૧ એપ્રિલના રોજ, અભિનેતાનો મૃતદેહ તેમના મેરઠ સ્થિત ઘરમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. જોકે, આ સમય દરમિયાન તેમની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. આ અભિનેતા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘ક્રાઇમ પેટ્રોલ’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’, ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ જેવી સિરિયલો અને શોમાં જોવા મળ્યા હતા.
લલિત મનચંદાના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રી અને તેમના ચાહકોને ખૂબ જ આઘાત લાગ્યો છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લલિતને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતાનો ફોટો શેર કરતા એસોસિએશને લખ્યું, ‘CINTAA લલિત મનચંદાના નિધન પર શોક વ્યક્ત કરે છે.’ પોલીસે ૩૬ વર્ષીય લલિત મનચંદાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
છ મહિના પહેલા પોતાના પરિવાર પાસે આવ્યા હતા
તપાસમાં જાણવા મળ્યું છે કે અભિનેતા માનસિક રીતે તણાવમાં હતા. એક અહેવાલ મુજબ, લલિત મુંબઈમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, તે લગભગ છ મહિના પહેલા તેના પરિવાર સાથે મેરઠ પાછો ફર્યો હતો. પોલીસે લલિત મનચંદાના પરિવાર અને નજીકના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ આ મામલાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.