Last Updated on by Sampurna Samachar
ઘરોમાં છ પીડિત લોહીથી લથબથ હાલતમાં જોવા મળ્યા
ઘટનામાં ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળની રાજધાની તિરુવનંતપુરમમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૨૩ વર્ષિય એક વ્યક્તિએ કેરલ (KERAL) ની રાજધાનીમાં પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું છે. તેણે પરિવારના પાંચ લોકો અને ગર્લફ્રેન્ડ સહિત છ લોકોની હત્યાની વાત કબૂલી છે.
આ ઘટનામાં ૫ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે આરોપીની માતાની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. જ્યાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ૫ લોકોની ક્રૂર હત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
હત્યા કરી યુવકે આત્મસમર્પણ કર્યું
પોલીસ સામે સરેન્ડર કરનારા આરોપીએ જણાવ્યું કે, પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ તેણે ઝેર ખાઈ લીધું. પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. આરોપીની ઓળખાણ પેરુમલાના રહેવાસી અફાન તરીકે થઈ છે. અફાને કબૂલ કર્યું છે કે તેણે ત્રણ ઘરોમાં રહેતા છ લોકોને મારી નાખ્યા છે. આરોપીના દાવાની તપાસ કરવા ગયેલી પોલીસે જાણ્યું કે, ૩ ઘરોમાં છ પીડિત લોહીથી લથબથ હાલતમાં પડ્યા હતા.
પોલીસે પહોંચતાની સાથે જ અફાનની માતાને બાદ કરતા તમામ લોકોએ દમ તોડી દીધો હતો. તેમની માતા શેમીની હાલત ગંભીર હતી. તેમને તિરુવનંતપુરમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. આરોપીએ કથિત રીતે પોતાની દાદી, નાનો ભાઈ અને અન્ય સંબંધીઓ સહિત પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી નાખી હતી. મૃતકોની ઓળખ પણ થઈ છે.
આરોપી અફાન પોતાના પિતા સાથે વિદેશમાં રહેતો હતો. હાલમાં જ તે વિઝિટિંગ વીઝા પર પરત ફર્યો હતો. તેની માતાની કેન્સરની સારવાર ચાલી રહી હતી. પોલીસ હત્યાના કારણો જાણવાની કોશિશ કરી રહી છે.