ઉત્તરપ્રદેશમાંથી હજારો નકલી મતદારોની યાદી બહાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વિપક્ષ નેતા રાહુલ ગાંધી ભારતમાં વોટ ચોરીને લઇ લગાવે છે આરોપ

ચૂંટણી પંચના સર્વેમાં મોટો ખુલાસો

(સંપૂર્ણ સમાચાર સેવા)

રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ ભારતમાં વોટ ચોરીને લઈને ચૂંટણી પંચ અને ભાજપ આરોપ લગાવી રહ્યા છે. આ વચ્ચે ઉત્તરપ્રદેશથી મોટો કાંડ સામે આવ્યો છે. આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી પંચાયત ચૂંટણીઓ પહેલા મોટા પ્રમાણમાં નકલી મતદારો જોવા મળ્યા છે.

ઉત્તર પ્રદેશ ચૂંટણી પંચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી યુપીની મતદાર યાદીનો સર્વે કર્યો છે. આ સર્વેમાં, એવા ૧.૨૫ કરોડ મતદારો મળ્યા છે જેઓ ગ્રામ પંચાયતની સાથે નગર નિગમની મતદાર યાદીમાં પણ જોવા મળી રહ્યા છે. એટલે કે, બે જગ્યાએ એક વ્યક્તિ મતદાર બન્યો છે.

મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ

આ કિસ્સામાં, પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે માહિતી આપતા કહ્યું કે, રાજ્યભરમાં ૧.૨૫ કરોડ નકલી મતદારોનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેને લઈને, ચૂંટણી પંચે તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને આ સર્વે રિપોર્ટની BLO  દ્વારા તપાસ કરાવવા જણાવ્યું છે. બે જગ્યાએ નામ સામે આવ્યા હોય તેવા મતદારોની તપાસ BLO કરશે અને સરકારને રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટના આધારે, જો આ છેતરપિંડીની પુષ્ટિ થશે, તો એક જગ્યાએથી મતદારનું નામ કાઢી નાખવામાં આવશે.

ઓમ પ્રકાશ રાજભરે આ છેતરપિંડીના ખેલ માટે નેતાઓની મિલીભગતને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, સ્થાનિક સ્તરે ચૂંટણી જીતવા માટે, નેતાઓ BLO ને મળીને આસપાસના વિસ્તારોના તેમના લોકોના નામ તેમના વિસ્તારની મતદાર યાદીમાં ઉમેરે છે.

રાજ્ય ચૂંટણી કમિશનર રાજ પ્રતાપ સિંહે શુક્રવારે પંચના કાર્યાલયના ભૂમિપૂજન બાદ માહિતી આપી હતી કે, પંચાયત ચૂંટણીમાં ફેશિયલ રેકગ્રિશન સિસ્ટમ અને AI  નો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સંવેદનશીલ બૂથ પર AI આધારિત ફેશિયલ રેકગ્રિશન સિસ્ટમથી નકલી મતદારોની ઓળખ કરવામાં આવશે. જો ક્યાંયથી નકલી નામોની ફરિયાદ મળશે, તો તેની પણ તપાસ કરવામાં આવશે.

હવે દરેક BLO (બ્લોક લેવલ ઓફિસર) ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી પ્રક્રિયા કરશે. આ અંતર્ગત, દરેક મતદારનું નામ, સરનામું અને ઓળખ સુનિશ્ચિત કરવામાં આવશે. જો કોઈ ઘરમાં ફરિયાદ કે શંકા જોવા મળે છે, તો તેના આધારે વધારાની તપાસ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ન્યાયી બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

નિષ્ણાતો કહે છે કે, ચૂંટણી પહેલા મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો નકલી કે ડુપ્લિકેટ નામ યાદીમાં રહે છે, તો તે ચૂંટણી પરિણામોને અસર કરી શકે છે અને લોકોનો વિશ્વાસ ઘટાડી શકે છે.

AI  -આધારિત ચકાસણી ટેકનોલોજીનો ઉપયોગ આને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. મતદાર યાદીમાં જોવા મળતી અનિયમિતતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી પ્રક્રિયામાં તકનીકી અને વહીવટી સુધારા જરૂરી છે. AI -આધારિત ટેકનોલોજીનો ઉપયોગ આ દિશામાં એક નવું ઉદાહરણ રજૂ કરે છે. આ ઉપરાંત, ઘરે-ઘરે જઈને ચકાસણી પ્રક્રિયા સુનિશ્ચિત કરશે કે ફક્ત સાચા અને લાયક મતદારો જ મતદાન કરે.

ચકાસણી અને દેખરેખ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. આનાથી ચૂંટણીમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત થશે. કમિશન કહે છે કે, જનતાનો વિશ્વાસ જાળવવો એ લોકશાહીની તાકાત છે અને તેને જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.