“૧૪૦ કરોડ ભારતીયોની એકતા આપણી સૌથી મોટી તાકાત”

Share this Article:

Last Updated on by Sampurna Samachar

“મન કી બાત” કાર્યક્રમમાં આતંકી હુમલા વિશે ચર્ચા

પીડિત પરિવારોને ન્યાય અને ગુનેગારોને કડક સજા મળશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ માસના અંતમાં “મન કી બાત” ના કાર્યક્રમમાં ઘણા મુદ્દાઓ વિશે વાતચીત કરી હતી. PM  મોદીએ પોતાના સંબોધનમાં પહલગામ આતંકવાદી હુમલા પર વાત કરી હતી. તેમણે કહ્યું, “જ્યારે હું તમારી સાથે મારા મનની વાત કરી રહ્યો છું, ત્યારે મારા મનમાં ઊંડું દુ:ખ છે. ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દરેક નાગરિકને દુ:ખી કર્યો છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે.”

PM મોદીએ મન કી બાતમાં કહ્યુ કે, પહલગામ (PAHALGAM) માં થયેલો આ હુમલો આતંકવાદને પ્રાયોજિત કરનારાઓની હતાશા દર્શાવે છે, તેમની કાયરતા દર્શાવે છે. જે સમયે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળાઓ અને કોલેજોમાં ઉત્સાહ હતો, બાંધકામ કાર્ય અભૂતપૂર્વ ગતિએ આગળ વધી રહ્યુ હતું, લોકશાહી મજબૂત થઈ રહી હતી, પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો હતો, લોકોની આવક વધી રહી હતી, યુવાનો માટે નવી તકોનું સર્જન થઈ રહ્યું હતું. દેશના દુશ્મનો, જમ્મુ અને કાશ્મીરના દુશ્મનોને આ ગમ્યું નહીં.

કાશ્મીર ફરીથી બરબાદ થાય , તે તેમનુ કાવતરું

આ સાથે તેમણે જણાવ્યુ કે, આતંકવાદીઓ અને તેમના આકાઓ ઇચ્છે છે કે, કાશ્મીર ફરીથી બરબાદ થાય અને તેથી જ તેમણે આટલા મોટા કાવતરાને અંજામ આપ્યો છે. આતંકવાદ સામેના આ યુદ્ધમાં દેશની એકતા, ૧૪૦ કરોડ ભારતીયોની એકતા આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા આતંકવાદ સામેની આપણી નિર્ણાયક લડાઈનો પાયો છે.

PM  મોદીએ વધુમાં ઉમેર્યું કે, દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણા સંકલ્પને મજબૂત બનાવવો પડશે. આપણે એક રાષ્ટ્ર તરીકે મજબૂત ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે. આજે દુનિયા જોઈ રહી છે, આ આતંકવાદી હુમલા પછી આખો દેશ એક અવાજમાં બોલી રહ્યો છે. ભારતના લોકોમાં જે ગુસ્સો છે તે આખી દુનિયામાં છે. આ આતંકવાદી હુમલા બાદ, વિશ્વભરમાંથી સતત સંવેદનાઓ મોકલવામાં આવી રહી છે. વૈશ્વિક નેતાઓએ મને ફોન કર્યો છે, પત્રો લખ્યા છે અને સંદેશા મોકલ્યા છે. આ જઘન્ય આતંકવાદી હુમલાની બધાએ સખત નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પીડિત પરિવારોને ખાતરી આપતા તેમણે જણાવ્યુ છે કે,  આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખી દુનિયા ૧૪૦ કરોડ ભારતીયોની સાથે ઉભી છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે.

તેમણે કહ્યું કે આતંકી અને આતંકના વડાઓ ઈચ્છે છે કે કાશ્મીર ફરી તબાહ થઈ જાય અને એટલા માટે આ મોટા ષડયંત્રને અંજામ આપ્યો. આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં દેશની એકતા, ૧૪૦ કરોડ ભારતીયોનો સહયોગ, આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા, આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે.

PM મોદીએ કહ્યુ કે આપણે દેશની સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પોને મજબૂત કરવાના છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દ્રઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવાનું છે. આજે દુનિયા જોઈ રહી છે, આ આતંકી હુમલા બાદ દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે. PM મોદીએ કહ્યું કે હું પીડિત પરિવારોને ફરી વિશ્વાસ અપાવું છું કે તેને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશે. આ હુમલાના દોષિતો અને ષડયંત્ર રચનારને કઠોર જવાબ આપવામાં આવશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.