સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી કરે તેવી જનતાની જરૂર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનુ નિવેદન

લોકતંત્રમાં સંસ્થાગત દેખરેખ અને કાનૂની હસ્તક્ષેપનું કેટલું મહત્ત્વ

(સંપૂર્ણ સમાચાર સેવા)

સમાજમાં એવા લોકોની જરૂર છે, જે સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ વાત કહીને સૌને ચોંકાવી દીધા છે. જોકે તેની સાથે તેમણે પોતાની આ વાત પાછળનું કારણ પણ જણાવ્યું છે કે, તેમણે કહ્યું કે, તેનાથી રાજનીતિ અને શાસનમાં અનુશાસન આવશે.

પ્રકાશ દેશપાંડે સ્મૃતિ કુશલ સંઘટક પુરસ્કાર સમારંભમાં બોલતા ગડકરીએ કહ્યું કે ઘણી વાર જનતાની રાજનીતિના કારણે મંત્રી કંઈ કામ નથી કરી શકતા. પણ કોર્ટના આદેશ બાદ એ જ કામ થઈ જાય છે. તેમણે કહ્યું કે, સમાજમાં અમુક લોકો એવા હોવા જોઈએ, જે સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરે. આ રાજનીતિમાં અનુશાસન લાવે છે.

સરકારના ર્નિણયોને કોર્ટમાં પડકાર આપ્યો

ગડકરીએ એવું પણ કહ્યું કે, ઘણી વાર કોર્ટના આદેશ એ બદલાવ લાવી દે છે, જે મંત્રી ઈચ્છતા હોવા છતાં પણ નથી લાવી શકતા, કેમ કે રાજકારણ મજબૂરીઓની વચ્ચે આવી જાય છે. તેમણે એ વાતના વખાણ કર્યા કે, કુશલ સંઘટક પુરસ્કાર મેળવનારા લોકો આવા જ સામાજિક કાર્યકર્તા છે. જેમણે સમય-સમય પર સરકારના ર્નિણયોને કોર્ટમાં પડકાર આપ્યો છે. ખાસ કરીને શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા મામલામાં.

ગડકરીએ જણાવ્યું કે, આ લોકોએ શિક્ષણ વ્યવસ્થામાં કેટલાય ખોટા ર્નિણયોને કોર્ટના માધ્યમથી પડકાર આપ્યો અને ઘણા કિસ્સામાં સરકારને પોતાના ર્નિણય પાછા લેવા માટે મજબૂર કર્યા. રાજનીતિક રીતે સત્તાધારી દળ હોવા છતાં, નીતિન ગડકરીનું આ નિવેદન એ દર્શાવે છે કે, લોકતંત્રમાં સંસ્થાગત દેખરેખ અને કાનૂની હસ્તક્ષેપનું કેટલું મહત્ત્વ છે. તેમણે એવો પણ ઈશારો કર્યો કે, સ્વસ્થ લોકતંત્ર માટે આ જરૂરી છે કે, સરકારના ર્નિણયો પર સવાલ ઉઠાવવામાં આવે અને જો જરૂરી હોય તો તેને કોર્ટમાં પડકાર આપવામાં આવે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.