પવિત્ર ગંગા નદી ત્રણ દાયકાઓથી સુકાઇ રહી છે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

છેલ્લા ૧૩૦૦ વર્ષના જળપ્રવાહ મોડેલ્સની રચના કરી

IIT  ના સંશોધકોના અભ્યાસમાં જાણવા મળ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી- IIT  ના સંશાધકોએ કરેલાં અભ્યાસમાં જણાયું છે કે તેરસો વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ રહી હોવાથી તેના તટ પ્રદેશમાં રહેતાં લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા જોખમાઇ રહી છે. આ અભ્યાસના તારણો નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝની જર્નલ પ્રોસિડિંગ્ઝમાં પ્રકાશિત થયા છે જે દર્શાવે છે કે ૧૯૯૧થી ૨૦૨૦ના સમયગાળામાં ગંગા જે રીતે સૂકાઇ છે તે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.

IIT  -ગાંધીનગર અને US  ની એરિઝોન યુનિવર્સિટીના સંશોધકોએ ગંગાની સૂકાવાની ઘટનાને નૈરૂત્યના ચોમાસામાં ઘટી રહેલાં વરસાદ સાથે સાંકળી છે. સંશોધકોની ટીમે ઐતિહાસિક રેકોર્ડઝ અને ૧૯૯૧થી ૨૦૨૦ દરમ્યાન જળપ્રવાહના મોડેલ્સનો ઉપયોગ કરી છેલ્લા ૧૩૦૦ વર્ષના જળપ્રવાહ મોડેલ્સની રચના કરી હતી.

સૌથી વધારે ગંગાના સૂકાવાનું પ્રમાણ ૧૯૯૧થી ૨૦૨૦માં જણાયું

સંશોધકોના જણાવ્યા અનુસાર ૧૯૯૦ના દાયકાથી ગંગાના સૂકાવાને કારણે ૧૬ મી સદીના દુકાળ કરતાં ૭૬ ટકા વધારે આકરાં દુકાળો  વારંવાર પડયા છે. ૧૯૫૧ થી ૨૦૨૦ દરમ્યાન કુલ વાર્ષિક વરસાદમાં પણ તેને કારણે ૯.૫ ટકા ઘટાડો અંદાજવામાં આવ્યો છે. જે  ભારતના પશ્ચિમ પ્રાંતમાં વરસાદનો ૩૦ ટકાનો ઘટાડો દર્શાવે છે.

સંશોધકોએ ઉમેર્યું હતું કે જળવાયુપરિવર્તનને કારણે વરસાદ વધવાની ધારણાં હોવા છતાં ભારતીય મહાસાગર ઝડપથી હુંફાળો થઇ જતાં અને ઉપખંડમાં પ્રમાણમાં ઓછું ગરમ વાતાવરણ પ્રવર્તવાના પરિણામે ઉત્તર ભારતમાં ચોમાસું નબળું પડી ગયું છે. તેમાં પણ વરસાદ ઓછો પડવાથી ભૂગર્ભ જળસ્રોતો પણ સૂકાઇ રહ્યા હોવાથી તથા સિંચાઇના સ્રોતો ઝડપથી ઘટી રહ્યા હોઇ તેના કારણે પણ ગંગાના સૂકાવા પર અસર પડી રહી છે.

અગાઉના અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું હતું કે જળવાયુપરિવર્તનને કારણે હિમશીલાઓ પીગળવાથી અને વરસાદ વધારે પડવાથી ગંગા નદીના તટપ્રદેશમાં જળપ્રવાહ વધશે. જાે કે આ સંશોધકોએ જણાવ્યું હતું કે તેમનો અભ્યાસ દર્શાવે છે કે ગરમ ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા દર્શાવવાનું કામ સંકુલ પુરવાર થઇ શકે છે. ચોમાસામાં વરસાદના પડવાને અસર કરતાં અન્ય પરિબળોને સાંકળતા વધુ અભ્યાસો કરવાની જરૂર છે તેમ તેમણે ઉમેર્યું હતું.

સંશોધકોએ તેમના અભ્યાસના આધારે માંડેલા અંદાજ અનુસાર સૌથી વધારે ગંગાના સૂકાવાનું પ્રમાણ ૧૯૯૧થી ૨૦૨૦માં જણાયું છે, બીજા ક્રમે આવી રીતે ગંગાના સૂકાવાની ઘટના ૧૫૦૧ થી ૧૫૩૦ દરમ્યાન બની હશે. જ્યારે ત્રીજા ક્રમે ગંગાના સૂકાવાના સમયગાળો ૧૩૪૪ થી ૧૩૭૩ રહ્યો હશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.