Last Updated on by Sampurna Samachar
શશિ થરુરને રાખવાના પક્ષમાં કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ ખડગે સાથે કરશે વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનને કૂટનીતિમાં ઘેરવા માટે એક ઓલ પાર્ટી ડેલિગેશન બનાવા જઈ રહી છે. આ ડેલિગેશન દુનિયાભરના દેશોમાં જઈને પહલગામ હુમલો અને ત્યારબાદ પાકિસ્તાન પર કરેલા ઓપરેશન સિંદૂરને લઈને જૂઠાણાની પોલ ખોલશે. કેન્દ્ર સરકારે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ ખડગે સાથે વાત કરી પાકિસ્તાન વિરુદ્ધ દુનિયાભરમાં મોકલનારા સાંસદોના પ્રતિનિધિમંડળ માટે નામ માંગશે.
એવા સમાચાર મળી રહ્યા છે કે વિદેશ જતાં સાંસદોના પ્રતિનિધિમંડળ માટે શશિ થરુરને રાખવાના પક્ષમાં કેન્દ્ર સરકાર છે. સરકાર તરફથી થરુરને મોકલવાની વાત થઈ છે. જે બાદ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, સભ્યોની પસંદગી કોંગ્રેસનો આંતરિક મામલો છે અને પાર્ટીનું નેતૃત્વ એ નક્કી કરશે.
થરૂરના સરકારના સમર્થનના નિવેદનથી નારાજ
જો કે આંતરરાષ્ટ્રીય બાબતોની સમક્ષ અને યુએન કાર્યાકાળ જોતા થરુરને ન મોકલવાનો નિર્ણય લેવો મુશ્કેલ છે. થરુરનું નામ કોંગ્રેસ સાંસદોની યાદીમાં સામેલ કરવું કે નહીં તે ટૂંક સમયમાં નક્કી થશે. પાર્ટીના અમુક નેતા થરુરને મોદી સરકારના સમર્થનમાં સતત નિવેદનથી નારાજ છે.
પાકિસ્તાન સાથે તણાવના સમયે પણ થરુરે કોંગ્રેસ પાર્ટીની લાઈનથી અલગ નિવેદન આપ્યું હતું. જેને લઈને હોબાળો થયો. કોંગ્રેસના કેટલાય રણનીતિકાર વિદેશ જનારા સાંસદોના પ્રતિનિધિમંડળમાં થરુરને રાખવાના પક્ષમાં નથી. આ સાંસદોનો તર્ક છે કે, થરુરે પાકિસ્તાન સાથે સંઘર્ષ દરમ્યાન પાર્ટી લાઈનથી હટીને નિવેદન આપ્યા હતા.
એટલું જ નહીં સંઘર્ષ વિરામ બાદ આખી પાર્ટી પીએમ પાસે અમેરિકાના વલણને લઈને સવાલો પૂછી રહી હતી અને ઈંદિરા ગાંધીને આયરન લેડી તરીકે બતાવીને કોંગ્રેસ કેમ્પેઈન ચલાવી રહી હતી, ત્યારે પણ થરુરે તેને ઓછું આંકવાનો પ્રયાસ કર્યો હતો.
કદાચ સરકારને આની ખબર હતી એટલે ખડગે સાથે વાતચીતમાં સરકાર તરફથી થરુરને મોકલવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસના સભ્યોની પસંદગી એનો આંતરિક મામલો છે અને પાર્ટીનું નેતૃત્વ નક્કી કરશે. જોકે થરુરની આંતરરાષ્ટ્રીય મામલાઓની સમજ અને તેમના કાર્યકાળને ધ્યાનમાં રાખીને તેમને ન મોકલવાનો નિર્ણય લેવો મુશ્કેલ છે.
જલ્દી જ નક્કી થશે કે થરુરનું નામ કોંગ્રેસ સાંસદોની યાદીમાં સામેલ કરવું કે નહીં. પાર્ટીના કેટલાક નેતાઓ થરુરના મોદી સરકારના સમર્થનમાં સતત નિવેદનોથી અસંતોષ છે અને પાકિસ્તાન સાથેના તણાવના સમયે પણ તેમણે પાર્ટી લાઇનથી અલગ નિવેદન આપ્યું હતું, જેને લઈને વિવાદ થયો હતો. તાજેતરના દિવસોમાં થરુરને અનેક પ્રસંગોએ ગરમજોશીથી મળતા જોયા ગયા છે, જેના કારણે તેમના નજીકીની અટકળો લગાવવામાં આવી રહી છે.