પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી હોવાનો મામલો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ટ્રેનમાં હાજર ૧૪૦ સૈનિકોને બંધક બનાવાયા હતા

અથડામણમાં ૬ સૈનિકોના મોત થયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

પાકિસ્તાનમાં બલૂચ આર્મી દ્વારા આખી ટ્રેન હાઇજેક કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ટ્રેનમાં લગભગ ૪૦૦ લોકો હતા, જેમને આતંકવાદીઓએ બંધક બનાવ્યા હતા. પાકિસ્તાની સેના અપહરણકારોથી ટ્રેનને મુક્ત કરાવવાની કોશિષ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બલૂચ આર્મીએ તમામ મુસાફરોને મુક્ત કરી દીધા છે, પરંતુ ટ્રેનમાં હાજર લગભગ ૧૪૦ સૈનિકોને બંધક બનાવી લીધા. સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ૬ સૈનિકોના મોત થયા હતા.

પાકિસ્તાની સેનાએ ટ્રેનને હાઇજેકર્સથી મુક્ત કરાવવા એક્ટિવ થઈ છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મશ્કાફ, ધાદર અને બોલાનમાં ટ્રેનનું સાવધાનીપૂર્વક હાઇજેક કરવામાં આવ્યું હતું. અમારા લડવૈયાઓએ પહેલાં ટ્રેનના પાટાને બોમ્બથી ઉડાવી દીધો હતો. ત્યારબાદ ટ્રેન રોકાઈ ગઈ હતી.

BLA એ પાકિસ્તાની સેનાને કડક ચેતવણી આપી

BLA કહે છે કે ટ્રેન ટ્રેક પર ઉભી રહેવાની સાથે જ અમારા લોકોએ ટ્રેનનો કબજો સંભાળી લીધો હતો. આતંકવાદી સંગઠનોનું કહેવું છે કે જો પાકિસ્તાની સેના કોઈ કાર્યવાહી કરશે તો બધા ૧૨૦ બંધકોને મારી નાખવામાં આવશે. BLA એ પાકિસ્તાની સેનાને કડક ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈપણ પ્રકારનું લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેની સંપૂર્ણ જવાબદારી પાકિસ્તાની સેનાની રહેશે.

બલૂચ લિબરેશન આર્મી (BLA) ના આતંકવાદીઓ દ્વારા જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યા બાદ પાકિસ્તાન સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ભૂમિ દફ્રોને પીછેહઠ કરવી પડી છે ત્યારબાદ હવે હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. હેલિકોપ્ટર અને ફાઇટર જેટ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. BLA ના માજીદ બ્રિગેડ, STOS , ફતાહ સ્ક્વોડ અને જીરાબ યુનિટના લડવૈયાઓ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. સંગઠને પાકિસ્તાની સેનાને ચેતવણી આપતા કહ્યું કે, તમારા સૈનિકોને બચાવવાની આ છેલ્લી તક છે.

બંધકોમાં પાકિસ્તાન આર્મી, પોલીસ, આતંકવાદ વિરોધી દફ્ર (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLA એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ બદલો લેશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.  BLA ના પ્રવક્તા જિયાંદ બલોચે હુમલાની જવાબદારી લીધી અને કહ્યું કે આ કાર્યવાહી આયોજનબદ્ધ હતી અને તેમના લડવૈયાઓનો ટ્રેન અને મુસાફરો પર સંપૂર્ણ કબજો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બલૂચ રાષ્ટ્રીય આંદોલનને નિર્ણાયક તબક્કામાં પહોંચાડવા માટે મુખ્ય ર્નિણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં એ વાત પર સંમતિ બની હતી કે,  BRAS જલ્દી બલૂચ રાષ્ટ્રીય સેનાનું રૂપ લેશે.

BRAS ના આગમનથી પાકિસ્તાનમાં ચીન દ્વારા ચલાવવામાં આવતા ઘણા CPEC પ્રોજેક્ટ્સ માટે મોટું જોખમ ઉભું થયું છે. બલૂચ રાજી અજોઈ સંગારની સંયુક્ત બેઠક બાદ એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભાગીદાર સંગઠનો – બલૂચ લિબરેશન આર્મી, બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ અને સિંધી લિબરેશન ઓર્ગેનાઇઝેશન સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મીએ હાઇલેવલ ડેલિગેશનમાં ભાગ લીધો હતો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.