Last Updated on by Sampurna Samachar
હવે જે ચાલી રહ્યોં છે તે સરકારી કુંભ
વાસ્તવિક કુંભ માઘ મહિનામાં થાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાશિવરાત્રિના સ્નાન સાથે મહાકુંભનું સમાપન થઇ ગયું હતું. હવે ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભના આયોજન પર સવાલો ઊઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, મહાકુંભ પહેલાથી જ પૂર્ણ થઈ ગયો છે અને હવે જે ચાલી રહ્યું છે તે સરકારી કુંભ હતું. નોંધનીય છે કે, અગાઉ પણ સ્વચ્છતાના મુદ્દે મહાકુંભની તૈયારીઓ પર સવાલો ઊભા થયા છે.
મીડિયા સાથે વાતચીતમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, મહાકુંભ (MAHAKUMBH) પૂર્ણિમાના દિવસે પૂર્ણ થઈ ચૂક્યો છે. અત્યારે જે ચાલી રહ્યું છે તે સરકારી કુંભ છે. વાસ્તવિક કુંભ માઘ મહિનામાં થાય છે. માઘ મહિનાની પૂર્ણિમા પસાર થઈ ગઈ છે અને કુંભમાં હાજર કલ્પવાસીઓ માઘ મહિનાની પૂર્ણિમા પછી પાછા આવી ગયા છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, હવે આયોજિત થઈ રહેલા સરકારી કાર્યક્રમનું પરંપરાગત મેળા જેટલું આધ્યાત્મિક મહત્ત્વ નથી.
કરોડો શ્રધ્ધાળુઓએ સંગમમાં ડુબકી લગાવી
આ સમય દરમિયાન તેમણે ગૌહત્યા વિરુદ્ધ આંદોલન માટે ૧૭ માર્ચની તારીખ નક્કી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અમે બધા રાજકીય પક્ષોને એકસાથે આવવા અને કહેવા કહ્યું છે કે શું તેઓ ગૌહત્યા બંધ કરવા માંગે છે કે પછી સ્વતંત્રતા પછીથી ચાલી આવતી જેમ ચાલુ રાખવા માંગે છે. અમે તેમને ર્નિણય લેવા માટે ૧૭મી માર્ચ સુધીનો સમય આપ્યો છે.
૪૫ દિવસ ચાલેલા મહાકુંભનું સમાપન થયું છે. ૧૩મી જાન્યુઆરીથી શરુ થયેલા આ મેળામાં ૬૬.૩૦ કરોડ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી. મેળા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ૧.૫૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી અને ૧૩મી જાન્યુઆરી થી ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા ૬૬.૩૦ કરોડ સુધી પહોંચી ગઈ છે.