સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના કાર્યક્રમમાં નિવેદન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઈથેનોલ મિશ્રિત ફ્યુલ તદ્દન સુરક્ષિત , નીતિન ગડકરીએ કહ્યું

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોને નુકસાનના દાવા ખોટા

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલનો મુદ્દો હાલ વિવાદમાં છે. દેશભરમાંથી અનેક લોકોએ વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી ફરિયાદો નોંધાવી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઇલેજ અને પર્ફોર્મન્સમાં ઘટાડો થયો છે. આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા આપી છે કે, આ રાજનીતિથી પ્રેરિત પૈસા આપી મારી વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ હતી.

દિલ્હીમાં આયોજિત સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ(સિયામ)ના ૬૫મા વાર્ષિક સંમેલનમાં ગડકરીએ કહ્યું કે, હું સોશિયલ મીડિયા પર એક પેઇડ પોલિટિકલ કેમ્પેઇન પૈસા ચૂકવીને ચલાવવામાં આવેલી રાજકીય ઝુંબેશનો ભોગ બન્યો છું. E20 પેટ્રોલ કે, જેમાં પારંપારિક ફ્યુલમાં ૨૦ ટકા ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે, સોશિયલ મીડિયા પર તેના વિશેની ચિંતાઓને મોટું સ્વરૂપ આપી રજૂ કરવામાં આવી રહી છે.

E20 પેટ્રોલના ઉપયોગથી વાહનની માઇલેજ ઘટી

ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઇંધણ સુરક્ષિત છે, અને રેગ્યુલેટર્સ તથા ઓટોમોબાઇલ પ્રોડ્યુસર્સ બંને દ્વારા સમર્થિત છે. ARAI અને સુપ્રીમ કોર્ટને E20 પ્રોગ્રામ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર મને રાજનીતિનો ભોગ બનાવી એક પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. આથી મેં તેના પર ધ્યાન આપ્યું નથી.

સોશિયલ મીડિયા પર હાલ ઈથેનોલ મિશ્રિત ઇંધણ મુદ્દે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પરિવહન મંત્રી નીતિન ગડકરીની ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે, ઈ૨૦ જેવા હાઇ ઈથેનોલ બ્લેન્ડિંગથી વાહનોની માઇલેજ પર અસર થાય છે, તેમજ જૂના મોડલ, ખાસ કરીને ૨૦૨૩ પહેલાં બનેલા વાહન ટેક્નિકલી રીતે તેના ઉપયોગ માટે સજ્જ નથી.

લોકોએ જુદા-જુદા ફોરમ સમક્ષ પણ આ મામલે ફરિયાદ નોંધાવી હતી કે, E20 પેટ્રોલના ઉપયોગથી તેમના વાહનની માઇલેજ ઘટી છે, તેમજ ફ્યુલ સિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે. લોકલ સર્કિલના એક સરવેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આશરે ૪૪ ટકા લોકો ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું સમર્થન કરતા નથી.

ઉલ્લેખનીય છે, આ મામલે પેટ્રોલિયમ-નેચરલ ગેસ મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે, રેગ્યુલર પેટ્રોલની તુલનાએ ઈથેનોલની એનર્જી ક્ષમતા ઓછી હોવાથી માઇલેજમાં નજીવો ઘટાડો થાય છે. E10  માટે ડિઝાઇન કરવામાં આવેલા તેમજ E20  માટે કેલિબ્રેટ કરવામાં આવેલા ફોર વ્હિલર્સમાં ૧-૨ ટકા  અને જ્યારે અન્ય વાહનોની માઇલેજમાં ૩-૬ ટકાનો ઘટાડો થાય છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.