Last Updated on by Sampurna Samachar
રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ST કર્મચારીઓ માટે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે. રાજ્ય સરકાર દ્વારા ST વિભાગના કર્મચારીઓના ચાલુ ફરજે થતાં નિધનમાં ચુકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે. સરકારના આ ર્નિણયથી એસટી વિભાગમાં કામ કરતા લાખો કર્મચારીઓને ફાયદો થશે.
રાજ્ય સરકારે ચાલુ ફરજ દરમિયાન નિધન પામતા કર્મચારીઓના પરિવારજનોને ચુકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા હવે એસટી વિભાગમાં ફરજ દરમિયાન જો કોઈ કર્મચારીનું નિધન થશે તો તેના પરિવારજનોને ૧૪ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવશે. આ બાબતે ટૂંક સમયમાં વિગતવાર આદેશ પણ જાહેર કરવામાં આવશે.
વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લખ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ST નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ ર્નિણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂ. ૮ થી ૧૦ લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂ.૧૪ લાખ આપવાનો ર્નિણય લેવામાં આવેલ છે.
આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ST નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ ર્નિણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓનું જો ફરજ દરમિયાન નિધન થાય તો તેમના પરિવારજનોને પહેલા ૪ થી ૬ લાખ રૂપિયા સહાય ચુકવવામાં આવતી હતી. પરંતુ રાજ્ય સરકારે આ સહાયમાં હવે આઠ લાખ રૂપિયા જેટલો વધારો કર્યો છે.