Last Updated on by Sampurna Samachar
૩૮ દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા મોદી
વિવિધ ડીલની શરતો પર પણ પ્રકાશ પાડ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય બજેટ અને અમેરિકા તથા યુરોપિયન યુનિયન સાથેના મહત્વની ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિશેષ ઇન્ટરવ્યુ સામે આવ્યો છે. આ બે મોટી ઘટનાઓ પછી કોઈ મીડિયા સાથે તેમણે કરેલી પહેલી મુલાકાત છે.

વડાપ્રધાન મોદીએ આ ઇન્ટરવ્યુમાં ભારતીય અર્થતંત્ર અને સંરક્ષણ ક્ષેત્ર અંગે કેટલીક પાયાની વાતો અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત કેટલીક બાબતો મામલે સ્પષ્ટતા પણ કરી હતી. વિવિધ ડીલની શરતો પર પણ પ્રકાશ પાડ્યો હતો.
સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ કરવું એ સરકારની ફરજ
રોકાણકારોનો વિશ્વાસ: વડાપ્રધાને જણાવ્યું કે દેશમાં રહેલી રાજકીય સ્થિરતાએ વૈશ્વિક રોકાણકારોનો ભારત પરનો વિશ્વાસ ફરી સ્થાપિત કર્યો છે.
પોતાની શરતો પર વ્યાપાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણા મજબૂત મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર અને MSME સેક્ટરે ભારતને દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વ્યાપાર કરાર કરવામાં સક્ષમ બનાવ્યું છે.
નાના ઉદ્યોગોને પ્રોત્સાહન: PM મોદીના અનુસાર, ભારતના મુક્ત વ્યાપાર કરારો ટેક્સટાઈલ, લેધર, કેમિકલ, હેન્ડીક્રાફ્ટ અને જ્વેલરી જેવા ક્ષેત્રોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ વધારવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે.
ડિફેન્સ બજેટમાં કરવામાં આવેલા વધારા અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, “વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ કરવું એ સરકારની ફરજ છે. અમારી સરકારે દેશના સંરક્ષણ દળોને સમર્થન આપવા અને તેમને મજબૂત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.”