નનકાના સાહિબની યાત્રાને અટકાવાતા ભડક્યાં શીખ સંગઠન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પાકિસ્તાનના ગુરુદ્વારાઓની મુલાકાત લઈ શકશે

૭૦ વર્ષમાં આવું ક્યારેય નથી થયું

(સંપૂર્ણ સમાચાર સેવા)

પાકિસ્તાનના નનકાના સાહિબમાં દર્શન પર પ્રતિબંધ મૂકવાના સરકારના ર્નિણય સામે સેન્ટ્રલ ગુરુ સિંહ સભાએ સખત વાંધો ઊઠાવ્યો છે.  શીખ સંગઠનના જણાવ્યાનુસાર, આ લઘુમતીઓની બાબતોમાં દખલગીરી છે. સભાના મહાસચિવ ડૉ. કુશલ સિંહે કહ્યું કે, ભાગલા પછી, ભારત અને પાકિસ્તાન સંમત થયા હતા કે શીખ ભક્તો ગુરુપર્વ અને અન્ય પ્રસંગોએ પાકિસ્તાનના ગુરુદ્વારાઓની મુલાકાત લઈ શકશે.

પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. કુશલ સિંહે કહ્યું, છેલ્લા સાત દાયકાથી શીખ યાત્રાળુઓ નનકાના સાહિબની મુલાકાત લઈ રહ્યા છે, અને કોઈએ ક્યારેય વાંધો ઊઠાવ્યો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન પણ, શીખ જૂથોએ નનકાના સાહિબની મુલાકાત લીધી હતી. ૧૯૮૪માં ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન, દરબાર સાહિબ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ સીલ કરવામાં આવી હતી, જોકે ભારત સરકારે શીખ યાત્રાઓ પર પ્રતિબંધ મૂક્યો ન હતો.

આતંકી હુમલા બાદ ભારતે અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી

તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં શીખ સમુદાય કોઈ ખતરામાં નથી અને લાદવામાં આવી રહેલા કોઈપણ પ્રતિબંધો ફક્ત રાજકીય છે. અમે શીખ સંગઠનોની સલાહ લીધા વિના કેન્દ્ર સરકારના એકપક્ષીય ર્નિણયને સ્વીકારતા નથી.

બંધારણની કલમ ૨૫નું ઉલ્લંઘન કરતા ડૉ. કુશલ સિંહે કહ્યું કે, આ સરકારી આદેશ બંધારણની કલમ ૨૫નું ઉલ્લંઘન કરે છે. આ પ્રસંગે, આપણે શ્રી ગુરુ નાનક દેવના ભાઈચારાના સંદેશને ફેલાવવાની જરૂર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે, કરતારપુર કોરિડોર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેથી અમે મોદી સરકારને કરતારપુર સાહિબ કોરિડોર ફરીથી ખોલવા અને મુલાકાતીઓને નનકાના સાહિબ સહિત પાકિસ્તાનમાં ગુરુદ્વારાઓની મુલાકાત લેવાની મંજૂરી આપવા અપીલ કરીએ છીએ.

પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડે ભારતને અપીલ કરી હતી કે ગુરુ નાનક દેવજીની પુણ્યતિથિ નિમિત્તે ૨૨મી સપ્ટેમ્બરે યોજાનાર સ્મૃતિ સમારોહ માટે શીખ યાત્રાળુઓને કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે. ૨૬મી એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.