વર્લ્ડ બેંકના ચીફની ગંભીર ચેતવણી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સીઝફાયર તૂટ્યું તો વિનાશક પરિણામ ભોગવવા પડશે

વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાએ કહ્યું, જો  સીઝફાયર થાય તો પણ અનેક દેશોને તેની લાંબા ગાળે અસર થઈ શકે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઈરાન યુદ્ધના આર્થિક ઝટકા લગભગ દરેક દેશને નડી રહ્યાં છે. વિશ્વ બેંકના ચીફ અજય બંગાની ચેતવણીથી સમજી શકાય કે, બંદૂકોના શાંત થયા બાદ પણ લાંબાગાળાનું નુકસાન થઈ રહ્યું છે. આ યુદ્ધ સંઘર્ષની વૈશ્વિક અસરનાં આકલન કરતા વિશ્વ બેંકના પ્રમુખે કહ્યું કે, જો તાત્કાલિક અને સ્થાયી યુદ્ધવિરામ પણ થઈ જાય, તો પણ અલગ અલગ અર્થવ્યવસ્થાઓમાં આવનારી અને સતત મંદીને રોકી શકાતું નથી.

વર્લ્ડ બેંકના ચીફના જણાવ્યા અનુસાર, જો  સીઝફાયર કાયમ રહે છે, તો ગ્લોબલ ગ્રોથ ૦.૩ થી ૦.૪ ટકા ઘટી શકે છે. જો  સીઝફાયર તૂટી જાય છે તો નુકસાન વધુ થઈ શકે છે. એટલે કે ૧ ટકા સુધી તેની અસર દુનિયાભરના વેપાર, ઉર્જા બજાર અને ફાઈનાન્શિયલ એક્ટિવિટી પર થશે.

સીઝફાયરના તૂટવાના ગંભીર પરિણામો આવશે

વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાએ મોટી ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે, ઈરાન યુદ્ધની આર્થિક આડઅસર હવે દેખાવા લાગી છે. જો  પૂર્ણત સીઝફાયર પણ થઈ જાય છે તો અલગ અલગ અર્થ વ્યવસ્થાઓમાં આવનારી મંદીને કોઈ નહિ રોકી શકે. સીઝફાયરના તૂટવાના ગંભીર પરિણામો આવશે.

બંગાએ સંકેત આપ્યા કે, સીઝફાયરની સ્થિતિમાં ગ્લોબલ મોંઘવારી ૦.૨ ટકાથી ૦.૩ ટકા વધી શકે છે. સંધર્ષ જો  લાંબો સમય ચાલ્યો તો તેના હજી પણ વધુ એટલે કે ૦.૯ ટકા સુધી અસર થવાની આશંકા છે. વિકાસશીલ અર્થ વ્યવસ્થાઓ માટે સ્થિતિ વધુ ગંભીર દેખાઈ રહી છે. સૌથી ખરાબ સ્થિતિમાં મોંઘવારી ૬.૭ ટકા પહોંચી શકે છે.

વિશ્વ બેંકે પહેલા જ સંકટ સામે ઝઝૂમી રહેલા દેશો સાથે વાતચીત કરવાની શરૂઆત કરી દીધી છે. તેમાં ઉર્જા આયાત પર ર્નિભર દ્વિપીય અર્થવ્યવસ્થાઓ પણ સામેલ છે. જેથી સંકટથી લડવા માટે બનાવવામાં આવેલી વિશેષ બારીના માધ્યમથી ઈમરજન્સી ફન્ડિંગ કરી શકાય.

જો  કે, બંગાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે, સરકારોએ એવી ઉર્જા સબસિડીમાં ખુદને ફસાવવા ન જોઈએ. જો  લાંબા સમય સુધી ન ચાલી શકો. કારણ કે, તેના બાદ ફાઈનાન્શિયલ અસ્થિરત પેદા થઈ શકે છે.

તેના બદલે આ સંકટ એક પાયાગત સુવિધાને મજબૂત કરી રહ્યું છે. જે દેશ પોતાના ઉર્જા સ્ત્રોતોમાં વિવિધતા લાવવામાં અસફળ રહ્યાં છે, તેઓને લાંબા સમય સુધી આર્થિક રીતે નબળા બની રહેવાનો ખતરો મંડરાયો છે.

બંગાએ નાઈઝીરિયાનું ઉદારણ રજૂ કર્યું, જ્યા ૨૦ અરબ ડોલરની રિફાઈનરી પરિયોજનાએ ઘરેલુ ઉર્જા સુરક્ષાને મજબૂત કરી છે. એટલું જ નહિ, પાડોશી દેશોનું જેટ બળતણ જેવા ઉત્પાદકોનું નિકાસ કરવું પણ શક્ય બનાવ્યું છે. બંગાએ આ વાત પર વધુ ધ્યાન આપ્યું કે, તેનો લોન્ગ ટર્મ સોલ્યુશન અલ્ટરનેટિવ એનર્જીના ઉપયોગને વધારવાનો છે.

તેમાં પરમાણુ, હાઈડ્રો, જિયોથર્મલ એનર્જિની સાથે જ પવન અને સોલર એનર્જિ પણ સામેલ છે. આ બદલાવ વગર દેશ ફરીથી પારંપિક જીવાશ્મ બળતણો પર ર્નિભર રહી શકે છે. તેનાથી આર્થિક અને પર્યાવરણીય બંને પ્રકારના જાેખમો લાંબા સમય સુધી રહેશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.